લગ્નેત્તર સંબંધોની ચાડી ખાય છે તમારા ઘરનો વાસ્તુ દોષ
વાસ્તુ દોષને આધારે પતિ-પત્ની પોતાના સાથીના લગ્નેત્તર સંબંધોને કેવી રીતે રોકશે જાણો અહીં.
પોતાની આખી જીંદગીની કમાણી ભેગી કરી મનુષ્ય પોતાના સપનાનુ ઘર ખરીદે છે. પરંતુ જો તેમાં વાસ્તુ દોષ હોય તો શુ કરશો? શું ઘરને તોડી નાખશો અને નવેસરથી ફરીબનાવશો? દરેકનો જવાબ ના હશે. મોટાભાગે દરેકના ઘરમાં કોઈને કોઈ પ્રકારનો વાસ્તુ દોષ હોય છે જ. ક્યાંક વધુ હોય છે, તો ક્યાંક ઓછું. આ વાસ્તુ દોષોને દૂર કરી તમે તમારી મુશ્કેલીઓમાં રાહત મેળવી શકો છો.

આવુ જ કંઈક પતિ-પત્નીના સંબંધોને પણ અસર કરે છે. એવા કેટલાક વાસ્તુ દોષ છે જેને કારણે પતિ-પત્નીના સંબંધોમાં કડવાશ રહે છે, હંમેશા ઘરમાં ઝગડા થયા કરે છે, એટલુજ નહિં પતિ-પત્નીના અફેર માટે પણ તમારો વાસ્તુ દોષ કારણભૂત છે. ઘરને તોડી-ફોડીને જ કિસ્મતના દરવાજા ખોલી શકાતા નથી પરંતુ આવા વાસ્તુ દોષોનુ યોગ્ય નિવારણ કરીને તમે તમારા સંબંધોમાં પ્રેમ અને મધુરતા લાવી શકો છો.

વાસ્તુના જાણકારોનુ માનવુ છે કે, આવા વાસ્તુ દોષોને આધારે પતિ-પત્ની પોતાના સાથીના લગ્નેત્તર સંબંધો વિશે જાણકારી મેળવી શકે છે. વાસ્તુ શાસ્ત્રી કૂશદીપ બંસલે આવા કેટલાક લક્ષણો જણાવ્યા છે, જેને આધારે તમે તમારા સાથીના અનૈતિક સંબંધો વિશે જાણી શકો છો. જેવા કે...

અનૈતિક સંબંધોને જન્મ આપનાર વાસ્તુ દોષ
-વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરની પશ્ચિમ-દક્ષિણ ઉપરાંત ઉત્તર-દક્ષિણ દિશામાં દોષ હોય તો તેનો સીધો અસર પતિ-પત્નીના જીવન પર પડે છે.
-વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે પતિ-પત્નીનો શયનખંડ એટલે કે, બેડરૂમ ખોટી જગ્યાએ હોય ત્યારે
-ઘરની દિવાલોનો રંગ, સીડીઓની ખોટી દિશા વાસ્તુ દોષનુ કારણ બને છે, જે પતિ-પત્નીના સંબંધોને અસર કરે છે.
-શાસ્ત્રો પ્રમાણે પતિ-પત્નીનો શયનખંડ નોર્થ-વેસ્ટમાં ન હોવો જોઈએ.
-બેડરૂમમાં લાલ બેડશીટ ન હોવી જોઈએ, અને બેડની સામે કોઈ અરિસો ન હોવો જોઈએ.
-બેડરૂમમાં બાથરૂમ ન હોવુ જોઈએ. જો હોય તો તેનો દરવાજો હમેશા માટે બંધ કરી દેવો જોઈએ.

વાસ્તુ દોષની પતિ-પત્નિના સંબંધ પર પડતી અસર
-વાસ્તુ શાસ્ત્ર લોકોના જીવન પર પડનારી સકારાત્મક અને નકારાત્મક ઉર્જાને નિયંત્રિત કરે છે.
-નકારાત્મક ઉર્જા કામ કરે છે તે એ વાતથી જાણી શકાય જ્યારે પતિ-પત્ની વગર વાતે એકબીજા સાથે વારંવાર ઝગડ્યા કરે.
-પતિ-પત્ની વચ્ચે પ્રેમ ઓછો થઈ જાય.
-પતિ-પત્નીને હંમેશા એકબીજામાં ખામીઓ જ દેખાયા કરે.
-પરસ્પરનો વિશ્વાસ ખતમ થઈ જાય છે.
-અસંતોષને કારણે પતિ-પત્ની બહાર જઈ અનૈતિક સંબંધોને જન્મ આપે છે.

અનૈતિક સંબંધોને જન્મ આપનાર વાસ્તુ દોષ
-વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરની પશ્ચિમ-દક્ષિણ ઉપરાંત ઉત્તર-દક્ષિણ દિશામાં દોષ હોય તો તેનો સીધો અસર પતિ-પત્નીના જીવન પર પડે છે.
-વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે પતિ-પત્નીનો શયનખંડ એટલે કે, બેડરૂમ ખોટી જગ્યાએ હોય ત્યારે
-ઘરની દિવાલોનો રંગ, સીડીઓની ખોટી દિશા વાસ્તુ દોષનુ કારણ બને છે, જે પતિ-પત્નીના સંબંધોને અસર કરે છે.
-શાસ્ત્રો પ્રમાણે પતિ-પત્નીનો શયનખંડ નોર્થ-વેસ્ટમાં ન હોવો જોઈએ.
-બેડરૂમમાં લાલ બેડશીટ ન હોવી જોઈએ, અને બેડની સામે કોઈ અરિસો ન હોવો જોઈએ.
-બેડરૂમમાં બાથરૂમ ન હોવુ જોઈએ. જો હોય તો તેનો દરવાજો બંધ હમેશા માટે બંધ કરી દેવો જોઈએ.












Click it and Unblock the Notifications
