Vastu tips: ઘરમાં છે લાફિંગ બુદ્ધાની મૂર્તિ, તો જાણી લો આ વાસ્તુ ટિપ્સ
Vastu tips for Laughing Buddha in Gujarati: વાસ્તુશાસ્ત્રમાં ઘર સજાવટ અને ઓફિસ સંબંધિત નિયમો જણાવવામાં આવ્યા છે. હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રનું ઘણુ વિશેષ મહત્વ છે. જેનાથી આપણે જીવનમાં ઘણી મુશ્કેલીથી બચી શકીએ છીએ.
ચાઈનામાં વાસ્તુશાસ્ત્ર જેવું જ એક શાસ્ત્ર છે, જેને ફેંગશુઈ કહેવામાં આવે છે. જો તમારા ઘરમાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ હોય તો તેના માટે થોડા નિયમો જાણી લેવા જોઈએ. જેથી તમે તેના નકારાત્મક પરિણામોથી બચી શકો.
ફેંગશુઈમાં લાફિંગ બુદ્ધાની મૂર્તિ સાથે જોડાયેલા ઘણા નિયમો જણાવ્યા છે. ફેંગશૂઈ પ્રમાણે લાફિંગ બુદ્ધાને ઘરમાં રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને રાખવાથી ઘરમાં હંમેશા સુખ-શાંતિ બની રહે છે.
વ્યક્તિની કારકિર્દીમાં પણ પ્રગતિ થવા લાગે છે. આ માટે તમારે સાચી દિશા જાણવાની જરૂર છે, તો જ તમને આ ફાયદાઓ મળી શકે છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, લાફિંગ બુદ્ધાની પ્રતિમા ઘરમાં કઈ જગ્યા અને કઈ દિશામાં રાખવી જોઈએ.

ફેંગશુઈ અનુસાર, લાફિંગ બુદ્ધાને હંમેશા ઘરમાં ઉત્તર-પૂર્વ દિશામાં રાખવા જોઈએ. આમ કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે, અને ઘરમાં સકારાત્મકતા આવે છે. તમે મુખ્ય પ્રવેશદ્વારની સામે લાફિંગ બુદ્ધાની પ્રતિમા પણ મૂકી શકો છો.
આ દરમિયાન મૂર્તિનું મુખ દરવાજાની સામે હોવું જોઈએ. આ સાથે, તમે બાળકોના સ્ટડી રૂમમાં લાફિંગ બુદ્ધાની પ્રતિમા પણ રાખી શકો છો, તેનાથી બાળકોને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ મળે છે.
આવા સમયે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, લાફિંગ બુદ્ધાની પ્રતિમા ક્યારેય રસોડામાં, ડાઇનિંગ રૂમમાં કે બેડરૂમમાં ન રાખવી જોઈએ. આ ઉપરાંત લાફિંગ બુદ્ધાની મૂર્તિ પૂજા સ્થાન પર ન રાખવા જોઈએ, ન તો તેમની પૂજા કરવી જોઈએ.
ટોપી પહેરેલા લાફિંગ બુદ્ધાને આનંદ અને ખુશીનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં લાફિંગ બુદ્ધાની મૂર્તિના જમણા હાથમાં સોનાની પોટલી પકડી હોય તો તેનાથી સૌભાગ્યમાં વધારો થઈ શકે છે.
આ સાથે જો તમે લાફિંગ બુદ્ધાની પીઠ પર સોનાની થેલીવાળી મૂર્તિ લાવો છો, તો તે સમૃદ્ધિ લાવે છે. તમે ઘરમાં બેઠેલા લાફિંગ બુદ્ધાને પણ રાખી શકો છો, કારણ કે તેને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત



Click it and Unblock the Notifications
