Vastu Tips: ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે આજે જ કરો આ કામ
Vastu tips to remove negative energy from home: આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, 'પહેલું સુખ તે જાતે નર્યા', આ અવતરણ સંપૂર્ણપણે સચોટ છે, કારણ કે જ્યાં સુધી તમે સ્વસ્થ નહીં હોવ, ત્યાં સુધી તમે અન્ય કાર્યો કરી શકશો નહીં.
જો તમે સ્વસ્થ હશો તો તમારું મન પ્રસન્ન રહેશે અને તમે ખંતથી કામ કરશો, જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. પરંતુ આજની જીવનશૈલીમાં લોકો માત્ર પૈસા કમાવવા માટે રાત-દિવસ દોડે છે અને તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન ન આપવાને કારણે બીમાર પડી જાય છે.

વાસ્તુશાસ્ત્રમાં આવા અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેને અપનાવવાથી તે ઘરમાં રહેતા સભ્યો સ્વસ્થ રહી શકે છે. ચાલો તમને એવા પાંચ ઉપાયો જણાવીએ જેને અપનાવીને તમે પણ સ્વસ્થ અને ખુશ રહી શકો.
સ્વસ્થ રહેવા માટે હેલ્ધી ફૂડ ખાવું જરૂરી છે. રસોડામાં ખાદ્યપદાર્થોને યોગ્ય દિશામાં રાખવામાં આવશે ત્યારે હેલ્ધી ફૂડ તૈયાર થશે. રસોડામાં અનાજ અને અન્ય વસ્તુઓ રાખવા માટે દક્ષિણ-પશ્ચિમ દિશા શ્રેષ્ઠ છે. આ દિશામાં અનાજ અને ખાદ્ય પદાર્થો રાખવાથી તેને ખાનાર વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે છે.
દરરોજ તમારા ઘરમાં કપૂર સળગાવવાની આદત બનાવો. જો તમે નિયમિતપણે કપૂર સળગાવો છો તો તે ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તેની સાથે અઠવાડિયામાં એકવાર સાંજે કપૂર સાથે લવિંગ, લીમડો અથવા લેમનગ્રાસ સળગાવો. આના કારણે તમને બીમારીઓ નહીં થાય.
છોડ ઘરમાંથી નકારાત્મક ઉર્જા શોષવાનું કામ કરે છે. ઘણા ઇન્ડોર છોડ છે જે ઘરમાં લગાવી શકાય છે. તુલસી, એલોવેરા, ફાઈકસ, મની પ્લાન્ટ, સ્નેક પ્લાન્ટ, ક્રેસુલા જેવા છોડ ઘરમાં લગાવવાથી આરોગ્યપ્રદ છે.
દરેક ઘરમાં દરરોજ પોતા કરવામાં આવે છે. જો તમે પોતુ કરવાના પાણીમાં થોડું મીઠું ઉમેરીને તે પાણીથી પોતુ કરો તો તે સ્વસ્થ રહેવાનો શ્રેષ્ઠ ઉપાય છે. આવા ઘરોમાં લોકો ઓછા બીમાર પડે છે.
ઘરને કચરા મુક્ત બનાવો. દરરોજ ઘર સાફ કરો. ટીવી, ફ્રીજ વગેરે જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પર ધૂળ ન હોવી જોઈએ. ઘરમાંથી તૂટેલી વસ્તુઓ, બગડેલી ચાદર, બગડેલા ઓશીકાના કેસ વગેરે ફેંકી દો. નિયમિત સ્વચ્છ કપડાં પહેરો.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11











Click it and Unblock the Notifications
