Navratri 2019: નવરાત્રીના ચોથા દિવસે 'માં કૂષ્માંડા'ની પૂજા કરો
Navratri 2019: નવરાત્રીના ચોથા દિવસે 'માં કૂષ્માંડા'ની પૂજા કરો
નવરાત્રીમાં ચોથા દિવસે દેવીને કૂષ્માંડાના રૂપમાં પૂજવામાં આવે છે. માનું આ રૂપ અતિ શાંત, સૌમ્ય અને મોહક છે. જેમની આઠ ભુજાઓ છે, માટે તેમને અષ્ટભુજ કહેવાય છે. તેમના સાત હાથોમાં ક્રમશઃ કમંડળ, ધનુષ બાણ, કમળ-પુષ્પ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર તથા ગદા છે. આઠમાં હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓને આપનાર જપ માળા છે. આ દેવીનું વાહન સિંહ છે.
નવરાત્રીનો ચોથો દિવસ આ દેવીનો
નવરાત્રીનો
ચોથો
દિવસ-
માતા
કૂષ્માન્ડાનો
રૂપ-સરળ,
સૌમ્ય
અને
મોહક
ભુજા-આઠ
વાહન-સિંહ
પૂજા-સમસ્ત
રોગોના
નાશ
માટે
સૂર્યલોકમાં રહેવાની શક્તિ
આ દેવીનો વાસ સૂર્યમંડળની અંદરના લોકમાં છે. સૂર્યલોકમાં રહેવાની શક્તિ ક્ષમતા માત્ર મા કૂષ્માંડામાં જ છે. માટે તેમના શરીરનિ કાંતિ અને પ્રભા સૂર્યની જેમ જ દૈદીપ્યમાન છે. આમના જ તેજથી દશેય દિશાઓ આલોકિત છે. બ્રહ્માંડની તમામ વસ્તુઓ અને પ્રાણીઓમાં જ તેમનું તેજ વ્યાપ્ત છે. માં કૂષ્માંડાની પૂજા નિમ્નલિખિત મંત્રથી કરવું જોઈએ.
આ શ્લોકનો જાપ કરો
या देवी सर्वभूतेषु मां कूष्माण्डा रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः ।।
કહેવાય છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ત્યારે આ દેવીએ બ્રહ્માંડની રચના કરી હતી. એટલે કે મા કૂષ્માંડા જ સૃષ્ટિના આદિ-સ્વરૂપા, આદિશક્તિ છે. માં કૂષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ય રોગ-શોક મટી જાય છે. જેમની ભક્તિથી આયુષ્ય, યશ, બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે.
નવરાત્રી 2019: આ રાશિના લોકોના ઘરે પધારશે માતા, આપશે વિશેષ આશિર્વાદ