Climate Change : મંગળ અને શુક્રનો થયો હતો વિનાશ, હવે પૃથ્વીનો વારો?
વૈજ્ઞાનિકો એ શોધી રહ્યા છે કે, સૂર્યમંડળમાં પૃથ્વીની બહાર કયા ગ્રહ પર જીવન હોવાની સહેજ પણ શક્યતા છે અથવા ક્યાંક કોઈ સમયે શક્ય બન્યું હશે. આ માટે ઘણા અંતરિક્ષ મિશન પર કામ ચાલી રહ્યું છે.
Climate Change : વૈજ્ઞાનિકો એ શોધી રહ્યા છે કે, સૂર્યમંડળમાં પૃથ્વીની બહાર કયા ગ્રહ પર જીવન હોવાની સહેજ પણ શક્યતા છે અથવા ક્યાંક કોઈ સમયે શક્ય બન્યું હશે. આ માટે ઘણા અંતરિક્ષ મિશન પર કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન નાસાના વૈજ્ઞાનિકોએ એક એવો પ્રયોગ કર્યો છે, જેના કારણે તેમના મગજની બતી ગુલ થઇ ગઇ છે અને તેમનું ટેન્શન પણ વધી ગયું છે.
વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે, જ્વાળામુખી વિસ્ફોટ પણ ક્યારેક પૃથ્વી પર વિનાશનું કારણ બની શકે છે. આ એ જ પ્રકારની આપત્તિ હોઈ શકે છે, જે લાખો વર્ષો પહેલા એક વખત મંગળ અને શુક્રના વિનાશનું કારણ બની હશે.
નવા ક્લાઈમેટ સિમ્યુલેશનને કારણે તણાવ વધ્યો
જ્યારે હુંગા ટોંગા-હુંગા જ્વાળામુખી દૂરના પેસિફિક દ્વીપસમૂહની નજીક ફાટી નીકળ્યો, ત્યારે તેની અસરો વિશ્વના ઘણા ભાગોમાં અનુભવાઈહતી. આજુબાજુના વિસ્તારો સુનામીના કારણે સંપૂર્ણપણે નાશ પામ્યા હતા.
યુએસ સ્પેસ એજન્સી (નાસા) એ એક નવું આબોહવા સિમ્યુલેશનહાથ ધર્યું છે, જે પૃથ્વીનું ભવિષ્ય નક્કી કરવામાં જ્વાળામુખીની ભૂમિકાની આગાહી કરી શકે છે. વૈજ્ઞાનિકોએ તેમના અભ્યાસમાં શોધી કાઢ્યુંછે કે, જો ખૂબ જ ભયંકર જ્વાળામુખી વિસ્ફોટ થાય છે, તો તેની અસરથી ઓઝોનની સપાટી સંપૂર્ણપણે નાશ પામે છે.
નવા આબોહવાઅનુકરણો અગાઉના અભ્યાસોના દાવાઓનો વિરોધાભાસ કરે છે, જે દર્શાવે છે કે, જ્વાળામુખી વિસ્ફોટ આબોહવાને ઠંડુ કરવા માટે સેવાઆપી શકે છે.
ઓઝોન સ્તર શા માટે મહત્વપૂર્ણ છે?
ઓઝોન સ્તર સૂર્યપ્રકાશ અને પૃથ્વીની આબોહવા વચ્ચે રક્ષણાત્મક કવચ જેવું છે, જે તેના ખતરનાક અલ્ટ્રાવાયોલેટ કિરણોને આપણા સુધીપહોંચતા અટકાવે છે.
જો ઓઝોન સ્તર ન હોય તો પૃથ્વીનું વાતાવરણ ખૂબ ગરમ થઈ જશે અને અહીં જીવન શક્ય નહીં બને. વૈજ્ઞાનિકોએનવા ક્લાયમેટ સિમ્યુલેશનમાંથી એક ખતરો શોધી કાઢ્યો છે, જેને ફ્લડ બેસાલ્ટ વિસ્ફોટ કહેવાય છે, જે શુક્ર અને મંગળ આજે જે સ્થિતિમાં છેતેની પાછળ કુદરતી ઘટના હોવાનું માનવામાં આવે છે. આ સંશોધનના પરિણામો જિયોફિઝિકલ રિસર્ચ લેટર્સ જર્નલમાં પ્રકાશિત થયા છે.
ફ્લડ બેસાલ્ટ વિસ્ફોટ શું છે?
ફ્લડ બેસાલ્ટ વિસ્ફોટ એ જ્વાળામુખી વિસ્ફોટ છે. જે ઘણી સદીઓ સુધી ટકી શકે છે અને લાખો વર્ષોના સમયગાળામાં થાય છે, અનેકેટલીકવાર તે પણ લાંબા સમય સુધી જે વિસ્ફોટોની શ્રેણી દ્વારા વર્ગીકૃત થયેલી છે. નાસા અનુસાર, આવી ઘટનાઓ મોટા પાયા પરજીવનના લુપ્ત થવા સાથે સંકળાયેલી છે અને પૃથ્વીના ઇતિહાસમાં, તે વધુ ગરમ સમયગાળા સાથે સંકળાયેલી છે.
નાસા અનુસાર, 'આપણાસૌરમંડળની અન્ય દુનિયામાં પણ સામાન્ય દેખાય છે, જેમ કે મંગળ અને શુક્ર.' સંશોધકોએ કોલંબિયા નદી બેસાલ્ટ વિસ્ફોટના ચાર વર્ષલાંબા તબક્કાનું મોડેલ બનાવવા માટે ગોડાર્ડ અર્થ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ કેમિસ્ટ્રી-ક્લાઇમેટ મોડલનો ઉપયોગ કર્યો.
આ વિસ્ફોટ 15 મિલિયનથી17 મિલિયન વર્ષો પહેલા અમેરિકાના પેસિફિક નોર્થવેસ્ટમાં થયો હતો. નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના વૈજ્ઞાનિક સ્કોટ ગુજેવિચેજણાવ્યું હતું કે,'અમે અમારા સિમ્યુલેશનમાં વધુ ઠંડીની અપેક્ષા રાખતા હતા, પરંતુ અમને જાણવા મળ્યું કે, થોડા સમય માટે ઠંડીની સ્થિતિપછી ખૂબ જ વધુ ગરમીની અસર જોવા મળી હતી.
નાશ પામશે ઓઝોન સ્તર
સિમ્યુલેશનમાં તે બહાર આવ્યું છે કે, જ્વાળામુખી ફાટવાથી પૃથ્વીની આસપાસનું ઓઝોન સ્તર કેવી રીતે નાશ પામશે. અત્યારે તો માનવીયગતિવિધિઓના કારણે જ આ પડમાં ગાબડાની શોધને કારણે વિશ્વભરના વૈજ્ઞાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ છે અને જો તેનો અંત આવશે, તોકુદરત માટે સંકટ આવે તે સ્વાભાવિક છે.
સંશોધન દર્શાવે છે કે, આવા વિસ્ફોટથી આબોહવામાં મોટા પ્રમાણમાં સલ્ફર ડાયોક્સાઇડ છોડવામાંઆવશે, જે બાદ એરોસોલમાં ફેરવાશે. આ એરોસોલ દૃશ્યમાન સૂર્યપ્રકાશને પ્રતિબિંબિત કરે છે, જે પ્રારંભિક ઠંડીની અસર આપે છે, પરંતુ તેઇન્ફ્રારેડ કિરણોત્સર્ગને પણ શોષી લે છે, જે આખરે વાતાવરણને અત્યંત ગરમ થવાનું કારણ બને છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, વાતાવરણનાઆ ક્ષેત્રના ગરમ થવાને કારણે 10,000 ટકા વધુ પાણીની વરાળ સર્જાશે. આ પાણીની વરાળને કારણે ઓઝોન સ્તરનો નાશ થશે.
મંગળ અને શુક્ર પર વિનાશ કેવી રીતે થયો?
આબોહવા પરિવર્તન કેવી રીતે ગ્રહના વિનાશનું કારણ બને છે, તે અંગે વિશ્વભરના વૈજ્ઞાનિકો માટે શુક્ર એક મહત્વપૂર્ણ કેસ સ્ટડી બની ગયોછે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મંગળ અને શુક્ર પર પણ પાણીના મહાસાગરો અસ્તિત્વમાં હશે, પરંતુ બંને ગ્રહો આજે સંપૂર્ણપણે સુકાઈ ગયા છે.
વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, આ ગ્રહો પર શું થયું હશે કે અહીંથી પાણી ગાયબ થઈ ગયું અને આ ગ્રહો હવે જીવન માટેયોગ્ય નથી રહ્યા. જો આબોહવા અનુકરણમાં જોવા મળતા વાતાવરણના ઉપરના ભાગમાં પાણીની વરાળના સંચયની આગાહી સાચી હોય,તો એવું માની શકાય કે, ભારે જ્વાળામુખીની પ્રવૃત્તિએ તેમના ભવિષ્યનો અંત લાવી દીધો હશે.
માનવજીવન માટે એક લીટીમાં સમજવાજેવી વાત એ છે કે, જળવાયુ પરિવર્તનની ચિંતા વ્યાજબી છે અને તેના નિયંત્રણ માટે દરેક શક્ય પ્રયાસો જરૂરી છે. (તસવીરો - ફાઇલ)