જાણો શું થયું ભગવાન રામ વિરુદ્ધની કેસની સુનાવણીમાં?
ભગવાન રામ અને લક્ષ્મણ પર સીતામઢીમાં એક કેસ દાખલ થયો છે. આ કેસ સીતામઢી જીલ્લાના એક વકીલે દાખલ કર્યો છે. આ કેસમાં વકીલનું કેહવું છે કે ભગવાન રામે સીતા માતાને ખોટી રીતે વનમાં મોકલી હતી જયારે સીતા માતાનો કોઈ ગુનો હતો જ નહિ.
આ કેસ પર આજે સુનવાઈ થઇ જેમાં જજે રામ બિહારીએ વકીલને પૂછ્યું કે આરોપ પત્ર કોર્ટ સ્વીકારી લેશે પરંતુ એટલી માહિતી આપો કે વકીલ કયા કયા સાક્ષીઓને કોર્ટમાં હાજર કરશે. એટલું ઓછુ હોઈ તેમ જજે વકીલને પૂછ્યું કે કેસ તો તમે ફાઈલ કરી દીધો છે. પરંતુ એમાં એ તારીખ લખો જે દિવસે ભગવાન રામે સીતા માતાને ઘરમાંથી કાઢી મુક્યા હતા.
જજે એ પણ કહ્યું કે રામ અને સીતાની લગ્નની તારીખ પણ લખો જેનાથી એ ખબર પડે કે સીતા માટે કેટલા વર્ષ ભગવાન રામ સાથે રહ્યા હતા. એટલું સાંભળીને વકીલ સાહેબના હોશ જ ઉડી ગયા.
આરોપ પત્રમાં વકીલે લખ્યું છે કે સીતા માતાએ ભગવાન રામનો દરેક સુખ દુખમાં સાથ આપ્યો અને પૂરી નિષ્ઠાથી પોતાનો પત્ની ધર્મ નિભાવ્યો હતો, તો પણ ભગવાન રામે તેમને ઘરની બહાર કાઢી મુક્યા. ભગવાન રામે એ પણ ના વિચાર્યું કે આટલા ઘનગોર જંગલમાં સીતા માતા એકલા કઈ રીતે રહી શકશે.
કઈ રીતે થશે સુનવાઈ
સીતામઢી જીલ્લાના વકીલ ચંદન કુમાર સિંહે ભગવાન રામ અને લક્ષ્મણ પર કેસ દાખલ કર્યો છેઅને સોમવારે તેના પર સુનવાઈ પણ થવાની છે.
જાણો શું હતો મામલો ...
સીતા નો સ્વયંવર
ભગવાન રામ રાજા જનકને ત્યાં સીતા માતાના સ્વયંવરમાં ગયા હતા.
રામ ભગવાનના લગ્ન
ભગવાન રામના સીતા માતા સાથે લગ્ન થઇ ગયા. ભગવાન રામ જયારે વનવાસ ગયા ત્યારે સીતા માટે પણ તેમની સાથે વનમાં રહેવા માટે ગયા હતા.
સુખદુખ માં સાથે
સીતા માતાએ ભગવાન રામનો 14 વર્ષના વનવાસમાં દરેક સુખ દુખમાં સાથ આપ્યો હતો.
ધોબીની વાત સાંભળી સીતા માતાને કાઢી મુક્યા
રામ ભગવાનને જયારે એક ધોબીની વાત ખબર પડી કે હું રામ નથી જે પોતાની પત્ની બીજા પુરુષ સાથે રહીને આવે તો પણ તેને પોતાની સાથે રાખું.
એક સવાલ
શું આ પ્રકારના કેસ પર ધ્યાન આપવું જોઈએ?