પતંગ વિષે કેટલીક અજીબો ગરીબ વાતો જે તમને ચોંકાવી દેશે!
શું ધાબા પર બધા ચઢી ગયા? હવે જો તમે ધાબે ચઢી જ ગયા છો તો ધાબે બેઠા બેઠા આ રસપ્રદ આર્ટીકલ વાંચી શકો છો જે છે પતંગ પર. તો જો આકાશમાં પવન તમારી પતંગનો સાથ ના આપતો હોય તો તમારી પતંગ વિષે વાંચી લો આ રસપ્રદ વાતો. જે છે તો ખૂબ જ અજીબો ગરીબ પણ તથ્ય છે.
તે વાત તો બધા જ જાણે છે કે પતંગની શોધ ચીનમાં થઇ. ત્યાંથી સંસ્કૃતિના વિકાસ સાથે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં આવી. પણ આજે હું તમને જે વાતો પતંગ વિષે જે વાતો કહેવાનું છું તે જાણીને તમને પણ થઇ જશે કે સીધી સાદી લાગતી આ પતંગે આવા આવા પણ કામ કર્યા છે. પતંગનો ઉપયોગ ક્યારેક પ્રેમ પત્ર તરીકે થયો છો તો ક્યારેક જાસૂસી માટે. તો જાણો પતંગનો ભવ્ય ઇતિહાસ અને તેના દ્વારા કેવા કેવા યુદ્ધને અંજામ આપવામાં આવ્યો તે....

ચોરસ નહીં પતંગ આકાર પહેલા હતો આવો!
જ્યારે ચીનમાં પહેલી પતંગ બનાવવામાં આવી ત્યારે તેનો આકાર ચતુષ્કોણ નહતો પણ બાજ પક્ષીના આકારનો હતો. અને આજે પણ તેવા આકારની પતંગો આપણને બજારમાં જોવા મળે છે.

લાકડાની પતંગ
એટલું જ નહીં મો જી નામના વ્યક્તિને એક લાકડાની પણ પતંગ બનાવી હતી. જેનો આકાર બાજ પક્ષી જેવો હતો. અને આ પતંગને બનાવવા અને તે ઉડે તે રીતે બનાવવા માટે મો જીએ ત્રણ વર્ષ વીતાવ્યા તેની પાછળ.

ટર્નલ ખોદવા પતંગની મદદ
હાન ઝી નામના એક ચીની જનરલ 196 BCમાં કિલ્લામાં અંદર ધૂસવા તેની સેના માટે એક ટર્નલ બનાવવા માટે પતંગ ઉડાવીની અંતર માપ્યું હતું. એટલે કે પતંગનો આવો પણ ઉપયોગ થતો હતો ત્યારે.

પતંગ ઉડાવવા માટે ચીન થયો દિવસ ફિક્સ
ઇ.સ. 960માં ચીનમાં દરેક મહિનાના નવમાં દિવસે પતંગ ઉડાવવામાં આવતી હતી. જો કે ઇ.સ 1126 આ પ્રથાને રોકવામાં આવી.

પતંગ શબ્દનો પહેલો ઉલ્લેખ
ભારતમાં ઇ.સ 1542માં સૌથી પહેલા જાણીતા સાહિત્યકાર મનજીતના સાહિત્ય મધુમતીમાં પતંગ શબ્દોનો ઉલ્લેખ થયો હતો.

મહારાષ્ટ્રમાં પતંગને કહેવાય છે વાવડી
મહારાષ્ટ્રમાં પતંગને વાવડી પણ કહેવાય છે અને જાણીતા કવિ એકનાથ અને તુકારામની કવિતામાં પણ આ શબ્દ જોવા મળે છે.

એલેક્સઝાન્ડર ગ્રેહામ બેલ
જેણે ફોનની શોધ કરી તેવા એલેક્સઝાન્ડર ગ્રેહામ બેલે ટેટ્રાહેડ્રલ પતંગ ઉડાવીને જ ફોન બનાવવા માટેની પ્રેરણા લીધી હતી.

જાસૂસી માટે પતંગનો ઉપયોગ
પ્રથમ વિશ્વ યુદ્ધમાં તેવા અનેક કિસ્સા છે જેમાં પતંગ પર કેમેરો લગાવીને દુશ્મનના વિસ્તાર અને તેમના સૈન્યની સ્થિતિ પર નજર રાખવામાં આવતી હતી. વધુમાં એક બીજાને સિગ્નલ મોકલવા અને ગુપ્ત સંદેશો મોકલવા પણ તેનો ઉપયોગ થતો હતો.

ઉત્તરાયણનું મહત્તવ
સામાન્ય રીતે સૂર્ય મકર રાશિમાં ઉત્તર તરફ પ્રયાણ કરતો હોવાથી અને તેને શુભ માનવામાં આવતો હોવાથી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવે છે.

ઉત્તરાયણ પાછળ વિજ્ઞાન
આ દ્વારા લોકો સવારના કૂમળા તડકાની મઝા ઉઠાવી શકે અને તે દ્વારા તેમને વિટામીન ડી મળે તે માટે પણ ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે.

સૌથી મોટી પંતગ
જાપાને વર્ષ 1901માં દુનિયાની સૌથી મોટી વિશાયકાળ પતંગ બનાવી હતી. 1050 કિલોની અને 18 મીટર સ્કેવર વાળી આ કાઇટને 200 જેટલા લોકોએ મળીને ઉડાવી હતી.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
