Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ક્યાંક 400 થી વધુ જોડિયા તો ક્યાંક બધા કરોડપતિ, જાણો ભારતના 5 અદભૂત ગામ વિશે

ભારતમાં આવા ઘણા ગામો છે, જે લોકોને આશ્ચર્યચકિત કરે છે. ક્યાંક 400 થી વધુ જોડિયા જન્મે છે, તો પછી એક ગામ છે, જ્યાં કોઈ દરવાજો જ નથી. અલગ-અલગ માન્યતાઓને કારણે ભારતના આવા અજાયબી ગામે લોકોને દંગ કરી દીધા છે.

ભારતમાં આવા ઘણા ગામો છે, જે લોકોને આશ્ચર્યચકિત કરે છે. ક્યાંક 400 થી વધુ જોડિયા જન્મે છે, તો પછી એક ગામ છે, જ્યાં કોઈ દરવાજો જ નથી. અલગ-અલગ માન્યતાઓને કારણે ભારતના આવા અજાયબી ગામે લોકોને દંગ કરી દીધા છે. ભારતીય ગામડાઓ તેમના પાક, સાક્ષરતા દર અને સ્વચ્છતા માટે પ્રખ્યાત છે, પરંતુ આ સમાચારમાં અમે તમને ભારતના એવા અસામાન્ય ગામો વિશે જણાવીશું, જે પોતાની આગવી વિશિષ્ટતાઓને કારણે જાણીતા છે.

આ ગામમાં 400 થી વધુ જોડિયા લોકો છે

આ ગામમાં 400 થી વધુ જોડિયા લોકો છે

કોડિન્હી (Kodinhi) , જેને 'ટ્વીન ટાઉન' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે કેરળના મલપ્પુરમ જિલ્લામાં આવેલું એક ગામ છે, જ્યાં જોડિયા બાળકોનો જન્મ દર કદાચ ભારતમાં સૌથી વધુ છે. પ્રથમ નજરમાં, કોડિન્હી એકદમ સામાન્ય લાગે છે.

મોટી સંખ્યામાં સમાન ચહેરાઓ જોવા મળે છે

મોટી સંખ્યામાં સમાન ચહેરાઓ જોવા મળે છે

કેરળના અન્ય ઘણા ગામોની જેમ, કોડિન્હી (Kodinhi) નાળિયેરીની હરોળો, નહેરો અને ચોખાના ખેતરો સાથે પથરાયેલું છે, પરંતુ જ્યારેતમે તેની સાંકડી શેરીઓમાં ઊંડે જાઓ છો, ત્યારે તમને મોટી સંખ્યામાં સમાન ચહેરાઓ જોવા મળે છે.

ગામની કુલ વસ્તી 2000 છે અને તેમાંથી 400 થી વધુ જોડિયા

ગામની કુલ વસ્તી 2000 છે અને તેમાંથી 400 થી વધુ જોડિયા

કેરળના કોચીથી લગભગ 150 કિમી દૂર આવેલા આ મુસ્લિમ બહુમતીવાળા કોડિન્હી (Kodinhi) ગામની કુલ વસ્તી 2000 છે અને તેમાંથી400 થી વધુ જોડિયા છે. આવી સ્થિતિમાં, તમને આ ગામમાં અને નજીકના બજારમાં પણ ઘણા દેખાવડા બાળકો જોવા મળશે.

દરવાજા વિનાનું ગામ

દરવાજા વિનાનું ગામ

શું તમે એવી જગ્યાની કલ્પના કરી શકો છો કે, જ્યાં ઘરના આગળના દરવાજા ન હોય અને તેમ છતાં સ્થાનિક લોકો ક્યારેય અસુરક્ષિતઅનુભવતા ન હોય? હા, તેની કલ્પના કરવી ખરેખર મુશ્કેલ છે, પરંતુ તે સાચું છે. આ ગામનું નામ છે શનિ શિંગણાપુર (ShaniSinghanapur).

સદીઓથી આગળના દરવાજા વિના જીવી રહ્યા છે લોકો

સદીઓથી આગળના દરવાજા વિના જીવી રહ્યા છે લોકો

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના નેવાસા તાલુકામાં 'શનિ શિંગણાપુર' (Shani Singhanapur) નામનું એક નાનકડું ગામ આવેલું છે,જ્યાં ભગવાન શનિની પાંચ ફૂટ ઊંચી મૂર્તિ સમગ્ર ગામની રક્ષા કરે છે. અહીં, ગ્રામજનોએ કોઈપણ પ્રકારના સુરક્ષા પ્રોટોકોલને ટાળી દીધા છેઅને સદીઓથી આગળના દરવાજા વિના જીવી રહ્યા છે.

ગામના મુખિયા સ્વપ્નમાં ભગવાન શનિને મળ્યા

ગામના મુખિયા સ્વપ્નમાં ભગવાન શનિને મળ્યા

એવું માનવામાં આવે છે કે, લગભગ 300 વર્ષ પહેલાં ભારે વરસાદ પછી, ગામલોકોને કાળા પથ્થરનો એક વિશાળ સ્લેબ મળ્યો અને તેનેલાકડીથી દબાવવામાં આવ્યો ત્યારે તેમાંથી લોહી નીકળ્યું અને તે જ રાત્રે, શનિ શિંગણાપુર (Shani Singhanapur) ગામના મુખિયાસ્વપ્નમાં ભગવાન શનિને મળ્યા, જેમણે તેમને તેમના નામે એક મંદિર બનાવવાનો આદેશ આપ્યો અને બદલામાં, તે દરેકની રક્ષા કરશે.ત્યારથી સ્થાનિક લોકોનું માનવું છે કે, શનિ શિંગણાપુર (Shani Singhanapur) ગામમાં જે કોઈ અન્ય વ્યક્તિને નુકસાન પહોંચાડશેતેને શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડશે.

લાખોપતિ-કરોડપતિઓનું ગામ

લાખોપતિ-કરોડપતિઓનું ગામ

તમે અવિરત સંઘર્ષ અને મહેનત પછી અબજોપતિ અથવા કરોડપતિ બનવાની ઘણી સ્ટોરી સાંભળી હશે, પરંતુ આ નાનકડા ગામ હિવરેબજાર (Hivre Bazar)ની સ્ટોરી થોડી હટકે છે.

ગામનું નસીબ અચાનક બદલાવા લાગ્યું

ગામનું નસીબ અચાનક બદલાવા લાગ્યું

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલું હિવરે બજાર (Hivre Bazar) ગામ એક સમયે ભારતના અન્ય ગામો જેવું હતું. વર્ષ 1972માં, તે ગરીબી અને દુષ્કાળની પકડમાં પણ હતું, પરંતુ 1990 ના દાયકામાં, ગામનું નસીબ અચાનક બદલાવા લાગ્યું હતું.

તમામ કરોડપતિઓ ખેડૂતો છે

તમામ કરોડપતિઓ ખેડૂતો છે

હિવરે બજાર (Hivre Bazar) ગામની બદલાયેલી કિસ્મત પોપટરાવ બગુજી પવાર નામના ગામના વડાને આભારી છે. જેમનાં કારણે જતેમનું ગામ એક શ્રીમંત ગામમાં ફેરવાઈ ગયું હતું. હાલમાં ગામમાં લગભગ 60 કરોડપતિ છે. ઉલ્લેખનીય છે કે, આ તમામ કરોડપતિઓખેડૂતો છે!

ભારતનું પ્રથમ હરિયાળું ગામ

ભારતનું પ્રથમ હરિયાળું ગામ

ભારતનું પ્રથમ હરિયાળું ગામ ખોનોમા (Khonoma) છે. ખોનોમાએ ભારતનું પ્રથમ ગ્રીન વિલેજ બનવા માટે એક લાંબી મજલ કાપી છે.

આદિવાસી જૂથોનું રક્ષણ કરવાની ઇચ્છાનું પ્રમાણપત્ર છે

આદિવાસી જૂથોનું રક્ષણ કરવાની ઇચ્છાનું પ્રમાણપત્ર છે

700 વર્ષ જૂની અંગામી વસાહત અને સંપૂર્ણ ટેરેસવાળી ખેતીની જમીનોનું ઘર, ભારતના નાગાલેન્ડ રાજ્યમાં ભારત-મ્યાનમાર સરહદ પરઆવેલું આ અનોખું, આત્મનિર્ભર ખોનોમા (Khonoma) ગામ નાગાલેન્ડના આદિવાસી જૂથોનું રક્ષણ કરવાની ઇચ્છાનું પ્રમાણપત્ર છે.

ગામમાં તમામ શિકાર પર પ્રતિબંધ છે

ગામમાં તમામ શિકાર પર પ્રતિબંધ છે

ખોનોમા (Khonoma) નાગાલેન્ડના આદિવાસી જૂથોએ તેમના કુદરતી નિવાસસ્થાનનું રક્ષણ કર્યું છે. ગામડામાં તમામ શિકાર પરપ્રતિબંધ છે, જે જમીનને સમૃદ્ધ બનાવતી ઝુમ ખેતીની પોતાની ઇકો-ફ્રેન્ડલી આવૃત્તિનો અભ્યાસ કરે છે.

બે દેશ વચ્ચે આવેલું એક ગામ

બે દેશ વચ્ચે આવેલું એક ગામ

લોંગવા (Longwa) ગામ નાગાલેન્ડના મોન જિલ્લાનું સૌથી મોટું ગામ છે અને બંને દેશો દ્વારા વહેંચાયેલું એકમાત્ર ગામ છે. હા, તમેબરાબર વાંચ્યું છે, ભારત-મ્યાનમાર સરહદ અહીંથી પસાર થાય છે.

બે દેશમાં આવેલું છે ગામના વડાનું ઘર

બે દેશમાં આવેલું છે ગામના વડાનું ઘર

લોંગવા (Longwa) ગામના વડાનું ઘર વચ્ચેથી અલગ કરીને તેને બે ભાગમાં વહેંચવામાં આવે છે, એક ભારતમાં અને બીજોમ્યાનમારમાં. વિવિધ અહેવાલો અનુસાર, આ સીમા બ્રિટિશ નકશાકારો દ્વારા તેમના ભારતના શાસનના અંતિમ દિવસોમાં બનાવવામાં આવીહતી.

મ્યાનમારમાં ખાય છે અને ભારતમાં સૂવે છે

મ્યાનમારમાં ખાય છે અને ભારતમાં સૂવે છે

બંને બાજુના ગ્રામવાસીઓ કોન્યાક જનજાતિના છે. વર્ષ 1970-71માં દોરવામાં આવેલી, આંતરરાષ્ટ્રીય સરહદ લોંગવા (Longwa) ગામનાવડાના ઘરને વિભાજિત કરે છે. ઉલ્લેખનીય છે કે, રાજાનો પરિવાર મ્યાનમારમાં ખાય છે અને ભારતમાં સૂવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X