માથામાં ત્રણ ગોળીઓ ખાઈને પણ પાકિસ્તાનને ધુળ ચટાવી દીધી, જાણો કારગીલ યુદ્ધના હિરો અને પરમવીર ચક્ર મનોજ પાંડેની

ભારત આઝાદીની પોણી સદી પુરી કરી ચુક્યુ છે અને ભારતની આ અખંડિતતાને અકબંધ રાખવા માટે ઘણા વીર જવાનોએ પોતાનું બલિદાન આપ્યુ છે. આવા જ એક વીર યોદ્રા અને કારગીલ યુદ્ધના હીરો પરમવીર ચક્ર મનોજ પાંડે હતા. આજે આપણે આઝાદીના શુભ અવસર પર તેમના બલિદાન વિશે વાત કરવાના છીએ.

ભારતીય સેનાના જવાનોમાં દેશ માટે કેટલુ જનુન છે એ વાતનો અંજાદ તમે એ વાત પરથી લગાવી શકો છો કે ગોરખા રાઈફલની પ્રથમ બટાલિયનના સૈનિક કેપ્ટન મનોજ પાંડે પરમવીર ચક્ર માટે ભારતીય સેનામાં જોડાયા હતા.

manoja pandey

આ વાતનો ખુલાસો તેમને ખુદ ઈન્ટરવ્યુ દરમિયાન કર્યો હતો. તેમને પૂછવામાં આવ્યું કે તે સેનામાં કેમ જોડાયા તો તેમનો જવાબ સાંભળીને ઇન્ટરવ્યુ પેનલમાં હાજર લોકો આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા.

કારગિલ યુદ્ધ દરમિયાન કેપ્ટન મનોજ પાંડેએ લદ્દાખના બટાલિક સેક્ટરમાં જુબર ટોપ પર કબજો કરવા માટે પોતાની પરવા કર્યા વિના દુશ્મનો સાથે બાથ ભીડી હતી. આ દરમિયાન કેપ્ટન મનોજ પાંડેએ દુશ્મનના બંકરમાં ઘૂસીને ખભા અને પગમાં ગોળી વાગી હોવા છતાં દુશ્મનોનો કચ્ચરઘાણ વાળ્યો હતો,

એટલુ જ નહીં, ગોળી લાગ્યા બાદ પણ તેમણે દુશ્મનના ઘણા બંકરોને નષ્ટ કરી દીધા. આ દરમિયાન ત્રણ ગોળી તેના હેલ્મેટને વીંધીને તેના માથામાં ઘૂસી ગઈ અને તે શહીદ થઈ ગયા.

શહીદ થતા પહેલા કેપ્ટન મનોજ પાંડેએ દુશ્મનોના ઘણા બંકરો નષ્ટ કર્યા અને પોતાની બટાલિયન માટે મજબૂત બેઝ તૈયાર કર્યા હતા. આ પછી ગોરખા રાઈફલ્સે શોધી-શોધીને દુશ્મનોને મોતને ઘાટ ઉતારીને ભારતને વિજય અપાવ્યો.

કેપ્ટન મનોજ પાંડેની અસાધારણ બહાદુરી માટે તેમને સેનાનો સર્વોચ્ચ મેડલ પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો. આ સન્માન તેમના પિતા ગોપી ચંદ પાંડેએ 26 જાન્યુઆરી 2000ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ કે.આર. નારાયણન તરફથી સ્વાકાર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X