Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Maha kumbh 2025 : કોણ છે IIT પાસ બાબા ગોરખ? જાણો કેમ ચર્ચામાં છે?

IITian Gorakh Baba : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહા કુંભમાં દુનિયાભરમાંથી સાધુ-સાધ્વીઓ પહોંચી રહ્યાં છે.

તમામ સાધુઓ વચ્ચે કેટલાક સાધુઓ ખાસ લોકોનું ધ્યાન ખેંચી રહ્યાં છે. આવા જ એક આઈઆઈટી પાસ બાબા ગોરખ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે.

IITian Gorakh Baba

એન્જિનિયર બાબા અભય સિંહ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. તેમનો દાવો છે કે તેમણે IIT બોમ્બેમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી છે. આ પછી તેમને લાખોના પેકેજ સાથે એક મોટી કંપનીમાં નોકરી મળી પરંતુ તેમણે મોહ માયા છોડીને આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યો.

ચર્ચા એવી પણ છે કે પ્રેમમાં થયેલા દગોને કારણે બાબાએ જીવન છોડી દીધું છે. કેટલાક લોકો માને છે કે તેમણે બેરોજગારી અને હતાશાને કારણે આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો. અભય સિંહે પોતે કહ્યું છે કે તેમણે જીવનનો અર્થ શોધવા માટે આ રસ્તો પસંદ કર્યો.

બાબા જણાવે છે કે, મેં ભગવાનનો આશરો લીધો છે અને હવે એ નક્કી થશે કે જીવનમાં આગળ શું કરવું, જેને આપણે ધર્મ કહીએ છીએ, જેને આપણે સત્ય કહીએ છીએ, તે વસ્તુમાં કેવી રીતે પાછા ફરવું. તેમને પાછું લાવવા માટે શું કરવાની જરૂર છે અને મેં આ બધું ધ્યાન દ્વારા શીખ્યું.

તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે હું ભારત આવ્યો ત્યારે હું સદગુરુના આશ્રમમાં ગયો અને પછી 9 મહિના ત્યાં સેવક તરીકે રહ્યો અને પછી ક્રિયા, ધ્યાન, યોગ અને પોતાને સમર્પણ કરવાનું શીખ્યો. બધું શીખ્યા પછી હું બહાર આવ્યો અને પછી 2021 પછી મહાદેવ બધું કરવા લાગ્યા.

બાબા જણાવે છે કે એન્જિનિયરિંગ દરમિયાન હ્યુમનિટી અને ફિલોસોફીના વિષયોનો અભ્યાસ કર્યો. તેમણે સોક્રેટીસ અને પ્લેટો જેવા ફિલસૂફોના પુસ્તકો અને લખાણોમાંથી જીવનનો અર્થ સમજવાનો પ્રયાસ કર્યો. કરિયરમાં તેમણે ભૌતિકશાસ્ત્ર શીખવ્યું, ડિઝાઇનિંગ શીખ્યા અને ફોટોગ્રાફીમાં કામ કર્યું.

ફોટોગ્રાફી અને અન્ય કામ કરવા છતાં જીવનનો હેતુ ન મળવાને કારણે તે ડિપ્રેશનમાં ગયા. તેની બહેને તેને કેનેડા બોલાવીને સંભાળવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને ત્યાં પણ સંતોષ ન મળ્યો.

કોરોના પછી ભારત પાછા ફર્યા અને વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી. ચારેય ધામોની પગપાળા યાત્રા કરી અને હિમાલયના ઊંડાણમાં જઈને પોતાને સમજવાનો પ્રયાસ કર્યો.

હવે અભય સિંહે પોતાનું આખું જીવન ભગવાન શિવને સમર્પિત કરી દીધું છે. તે જણાવે છે કે હવે હું આધ્યાત્મિકતાનો આનંદ માણી રહ્યો છું. હું વિજ્ઞાન દ્વારા આધ્યાત્મિકતાને સમજી રહ્યો છું. બધું જ શિવ છે. સત્ય જ શિવ છે અને શિવ સુંદર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X