Maha kumbh 2025 : કોણ છે IIT પાસ બાબા ગોરખ? જાણો કેમ ચર્ચામાં છે?
IITian Gorakh Baba : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહા કુંભમાં દુનિયાભરમાંથી સાધુ-સાધ્વીઓ પહોંચી રહ્યાં છે.
તમામ સાધુઓ વચ્ચે કેટલાક સાધુઓ ખાસ લોકોનું ધ્યાન ખેંચી રહ્યાં છે. આવા જ એક આઈઆઈટી પાસ બાબા ગોરખ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યા છે.

એન્જિનિયર બાબા અભય સિંહ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. તેમનો દાવો છે કે તેમણે IIT બોમ્બેમાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં ડિગ્રી મેળવી છે. આ પછી તેમને લાખોના પેકેજ સાથે એક મોટી કંપનીમાં નોકરી મળી પરંતુ તેમણે મોહ માયા છોડીને આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યો.
ચર્ચા એવી પણ છે કે પ્રેમમાં થયેલા દગોને કારણે બાબાએ જીવન છોડી દીધું છે. કેટલાક લોકો માને છે કે તેમણે બેરોજગારી અને હતાશાને કારણે આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો. અભય સિંહે પોતે કહ્યું છે કે તેમણે જીવનનો અર્થ શોધવા માટે આ રસ્તો પસંદ કર્યો.
બાબા જણાવે છે કે, મેં ભગવાનનો આશરો લીધો છે અને હવે એ નક્કી થશે કે જીવનમાં આગળ શું કરવું, જેને આપણે ધર્મ કહીએ છીએ, જેને આપણે સત્ય કહીએ છીએ, તે વસ્તુમાં કેવી રીતે પાછા ફરવું. તેમને પાછું લાવવા માટે શું કરવાની જરૂર છે અને મેં આ બધું ધ્યાન દ્વારા શીખ્યું.
તેમણે વધુમાં કહ્યું કે, જ્યારે હું ભારત આવ્યો ત્યારે હું સદગુરુના આશ્રમમાં ગયો અને પછી 9 મહિના ત્યાં સેવક તરીકે રહ્યો અને પછી ક્રિયા, ધ્યાન, યોગ અને પોતાને સમર્પણ કરવાનું શીખ્યો. બધું શીખ્યા પછી હું બહાર આવ્યો અને પછી 2021 પછી મહાદેવ બધું કરવા લાગ્યા.
બાબા જણાવે છે કે એન્જિનિયરિંગ દરમિયાન હ્યુમનિટી અને ફિલોસોફીના વિષયોનો અભ્યાસ કર્યો. તેમણે સોક્રેટીસ અને પ્લેટો જેવા ફિલસૂફોના પુસ્તકો અને લખાણોમાંથી જીવનનો અર્થ સમજવાનો પ્રયાસ કર્યો. કરિયરમાં તેમણે ભૌતિકશાસ્ત્ર શીખવ્યું, ડિઝાઇનિંગ શીખ્યા અને ફોટોગ્રાફીમાં કામ કર્યું.
ફોટોગ્રાફી અને અન્ય કામ કરવા છતાં જીવનનો હેતુ ન મળવાને કારણે તે ડિપ્રેશનમાં ગયા. તેની બહેને તેને કેનેડા બોલાવીને સંભાળવાનો પ્રયાસ કર્યો પરંતુ તેને ત્યાં પણ સંતોષ ન મળ્યો.
કોરોના પછી ભારત પાછા ફર્યા અને વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી. ચારેય ધામોની પગપાળા યાત્રા કરી અને હિમાલયના ઊંડાણમાં જઈને પોતાને સમજવાનો પ્રયાસ કર્યો.
હવે અભય સિંહે પોતાનું આખું જીવન ભગવાન શિવને સમર્પિત કરી દીધું છે. તે જણાવે છે કે હવે હું આધ્યાત્મિકતાનો આનંદ માણી રહ્યો છું. હું વિજ્ઞાન દ્વારા આધ્યાત્મિકતાને સમજી રહ્યો છું. બધું જ શિવ છે. સત્ય જ શિવ છે અને શિવ સુંદર છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
