સંબંધમાં સાયલન્ટ કિલર છે આ ચાર બાબત, પાર્ટનર વચ્ચે વધારી શકે છે અંતર
લગ્ન કે સંબંધ જાળવવા માટે સૌથી જરૂરી છે સમય, વિશ્વાસ અને મહેનત. સંબંધમાં વિશ્વાસ સાથે સંબંધ સમય સાથે વધુ મજબૂત બને છે. બીજી બાજુ જો 'પ્રયાસ' પણ સંબંધમાં મહત્વની ભૂમિકા ધરાવે છે.
લગ્ન કે સંબંધ જાળવવા માટે સૌથી જરૂરી છે સમય, વિશ્વાસ અને મહેનત. સંબંધમાં વિશ્વાસ સાથે સંબંધ સમય સાથે વધુ મજબૂત બને છે. બીજી બાજુ જો 'પ્રયાસ' પણ સંબંધમાં મહત્વની ભૂમિકા ધરાવે છે. જો તમે અથવા તમારા જીવનસાથી સંબંધને જાળવી રાખવાનો પ્રયાસ ન કરો તો સંઘર્ષ થવાની સંભાવના છે. આ પ્રયાસ ન કરવા પાછળનું એક કારણ દંપતીના મતનો તફાવત હોય શકે છે.
કેટલીકવાર તમે અથવા તમારા પાર્ટનર અજાણતામાં એક જ ભૂલને વારંવાર કરતા રહો છો, જેનાથી સંબંધ નબળા પડી શકે છે, પરંતુ તેનું કારણ અજ્ઞાનતા અને પ્રયત્નોનો અભાવ છે. આવી સ્થિતિમાં સંબંધની ચાર બાબતો ધીમે ધીમે સંબંધને ખતમ કરી શકે છે. આ ચાર બાબતો કપલ વચ્ચેનું અંતર વધારવામાં મોટી ભૂમિકા ભજવે છે. તેઓ કોઈપણ સંબંધમાં સાયલન્ટ કિલર જેવા હોય છે. આવો જાણીએ સંબંધની એવી ચાર બાબતો જેનાથી સંબંધ ખતમ થઈ શકે છે.
પરવા ન કરવી
સંબંધોમાં તમારા જીવનસાથી અપેક્ષા રાખે છે કે, તમે તેમની કાળજી કરો. એકબીજાને સહારો આપો. પ્રેમની સાથે સાથે કાળજી અને માનવતાનો સંબંધ પણ હોવોજોઈએ, પરંતુ તમારી કાળજી ન રાખવાથી સંબંધ ખતમ થઈ શકે છે.
ઉદાહરણ તરીકે જો તેઓ બીમાર છે, પરંતુ તમે તેમની કાળજી લીધા વિના અથવા તેમની ચિંતાકર્યા વિના તમારા કામમાં વ્યસ્ત છો અથવા તમે ઝઘડા પછી તમારા જીવનસાથીને ભોજન માટે પૂછતા નથી. આ પ્રકારનું વર્તન તમારા પાર્ટનરના દિલમાં તમારુંસ્થાન અને પ્રેમ ખતમ કરી શકે છે.
તમારી લાગણીઓ ન દર્શાવવી
પ્રેમને ક્યારેક બોલવાની અને કહેવાની જરૂર પડે છે. જો તમે તમારા પાર્ટનરને તમારી લાગણીઓ પહોંચાડવામાં સક્ષમ નથી, તો તમારા બંને વચ્ચે ગેરસમજ થઈ શકેછે.
તમારા પાર્ટનરને લાગશે કે, તમે કદાચ ખુશ નથી અથવા તમારી જાતને તેમનાથી દૂર કરવા માગો છો. બેસો અને વાત કરો તેમની લાગણીઓને સમજો અનેતમારી લાગણીઓને વ્યક્ત કરો.
વાતોને પકડી રાખવી
ઘણીવાર દંપતી વચ્ચે ઝઘડો થાય છે, પરંતુ ઝઘડાને જલ્દી ઉકેલવાનો પ્રયાસ કરો. જો મામલો ઉકેલી ન શકાય તો પણ સંબંધોમાં શીતયુદ્ધ આવવા ન દો. તમારાજીવનસાથી વસ્તુઓને ખેંચીને અથવા એક જ વસ્તુને ઘણા દિવસો સુધી વારંવાર પુનરાવર્તન કરીને તમારી સાથે વાત કરવાનું બંધ કરી શકે છે.
ભૂલોનું પુનરાવર્તન કરવું
ઘણી વખત તમે એવા કામો કરો છો, જેના માટે તમે તમારા પાર્ટનરની માફી માંગી લીધી હોય, પરંતુ એક જ ક્રિયા કે, વસ્તુને વારંવાર કરતા રહેવાથી તમારા શબ્દોનુંમહત્વ ઘટવા લાગે છે.
તમારી ભૂલ પુનરાવર્તન કરવાની આદતથી તમારો પાર્ટનર પણ નારાજ થઈ શકે છે. જે તમારા વચ્ચેનો વિશ્વાસ ખતમ કરવાની સાથે અંતરપણ વધારશે.