આ છે દુનિયાની સૌથી શ્રાપિત ખુરશી, બેસશો તો મળશે મોત

આ દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જેને શાપિત માનવામાં આવે છે. કહેવાય છે કે આજે હજારો વર્ષો બાદ પણ આ વસ્તુઓ તેનો પ્રભાવે દેખાડે છે. આજે આપણે આવી જ એક ખુરશી વિશે વાત કરવાના છીએ.

આજે આપણે એવી જ એક રહસ્યમય ખુરશી વિશે જાણવાના છીએ જેના વિશે દાવો કરવામાં આવે છે કે તેના પર બેસનારા દરેક વ્યક્તિના મોત થઈ જાય છે. આ ખુરશી ઈંગ્લેન્ડના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે.

chair

આ ખુરશી કેટલી ખૌફનાક છે એનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેને જમીનથી ઘણી ફૂઉપર લટકાવી દેવામાં આવી છે જેથી તેના પર કોઈ બેસી ન શકે. મોતની ખુરશીના નામે જાણીતી આ ખુરશી સાથે એક ખાસ કહાની જોડાયેલી છે.

જણાવી દઈએ કે આ ખુરશી થોમસ બસ્બી નામના એક વ્યક્તિની હતી. ચર્ચા છે કે તેના સસરા એકવાર તેની આ પ્રિય ખુરશી પર બેઠા હતા. આનાથી થોમસ ગુસ્સે થયો અને તેણે તેની હત્યા કરી નાખી.

આ હત્યાના આરોપમાં થોમસ બસ્બીને ફાંસી આપી દેવાઈ હતી. મરતા પહેલા થોમસે શ્રાપ આપ્યો છે કે જે આ ખુરશી પર બેસવાની હિંમત કરશે તે મરી જશે.

થોમસના મૃત્યુ પછી પણ ઘણા લોકોએ આ વાતને ગંભીરતાથી ન લીધી અને ખુરશી પર બેસવાની ઈચ્છા કરી, આમ કરવા પર થોડા જ દિવસોમાં તે તમામના મોત થઈ ગયા.

થોડા સમયમાં જ આ ખુરશી પર બેઠનારા 4 લોકોના મોત થતા લોકોએ તેને શાપિત માની લીધી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન કેટલાક સૈનિકો આ ખુરશી પર બેઠા હતા. આ બધા સૈનિકોમાંથી એક પણ યુદ્ધ દરમિયાન જીવતો બચી શક્યા નહી. માન્યતા છે કે આજે પણ થોમસ બસ્બીની આત્માનો આ ખુરશીમાં નિવાસ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X