શું છે અમેરિકામાં પેદા થવા જઈ રહેલા AI બેબી? જાણો બીજા બેબી કરતા કેવી રીતે અલગ હશે?
આ દુનિયામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની બોલબાલા છે. તમામ બાબતોમાં હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ થવા લાગ્યો છે ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી બાળકો પણ પેદા થવા જઈ રહ્યા છે.
અહેવાલો અનુસાર, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બાળકો એટલે કે AI બેબીના જન્મ માટે વૈજ્ઞાનિકો તૈયારી કરી રહ્યા છે. આ તકનીકથી ગર્ભના વિકાસ દરમિયાન ઘણી માહિતી મેળવી શકાય છે અને ગર્ભને આનુવંશિક રોગોના સંક્રમણની શક્યતાઓથી બચાવી શકાય છે. હવે અમેરિકામાં આ ટેકનિકનો ઉપયોગ કરીને AI બાળકોનો જન્મ થઈ શકશે અને તેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે.

આ ટેકનિકનો ઉપયોગ IVF પ્રક્રિયામાં કરાશે. IVF એ પ્રજનનક્ષમતા સારવારનો એક પ્રકાર છે જે એવા લોકો માટે ઉપયોગી છે કે જેઓ પોતાની જાતે બાળકો પેદા કરી શકતા નથી. આ પ્રક્રિયા દ્વારા વંધ્યત્વની સારવાર કરવામાં આવે છે અને ગર્ભનો વિકાસ કરીને તેને સ્ત્રીના ગર્ભાશયમાં મૂકવામાં આવે છે.
હવે આ ભ્રૂણની તપાસ AI સોફ્ટવેરથી કરવામાં આવશે અને તેના વિશે ઘણી માહિતી આપશે. આ રીતે જન્મેલા બાળકોને AI બેબી તરીકે ઓળખાશે.
અહેવાલો અનુસાર, IVF પ્રક્રિયા દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ તેની સફળતા દરમાં સુધારો કરી શકે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, AI એલ્ગોરિધમનો ઉપયોગ કરીને IVF ની સફળતાનો દર 30 સુધી વધારી શકાય છે. હાલ આ ટેકનિકનો ઉપયોગ યુરોપ, એશિયા અને દક્ષિણ અમેરિકામાં થઈ રહ્યો છે અને હવે તે અમેરિકામાં વ્યાપકપણે શરૂ થઈ શકે છે.
IVF દરમિયાન ગર્ભની પસંદગી એ સૌથી મહત્વપૂર્ણ પગલું છે. અત્યાર સુધી ડોકટરો આ કામ કરતા હતા પરંતુ હવે એઆઈ દ્વારા તેનું મૂલ્યાંકન કરી શકાય છે. માઈક્રોસ્કોપ દ્વારા જોવામાં આવે ત્યારે તમામ ભ્રુણ સમાન દેખાય છે અને ક્યુ ગર્ભ વધુ સારો છે તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે. અહીં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નિષ્ણાતોની મદદ કરશે.
આ ટેકનિકના પરીક્ષણ દરમિયાન સફળતા મળી છે. દાવો કરવામાં આવે છે કે તે આનુવંશિક રોગોના જોખમને ઘટાડી શકે છે. એટલે કે જન્મજાત અથવા નિદાન વિનાના રોગોનું જોખમ ભવિષ્યમાં ઘટાડી શકાય છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
