Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નોટબંધી બાદ આ 10 લાખ લોકો પર છે મોદી સરકારની નજર

આરબીઆઇ તરફથી નોટબંધીને લગતા મહત્વપૂર્ણ આંકડાઓ જાહેર કરાયા બાદ આવકવેરા વિભાગ દ્વારા પણ એક મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે.

ભારતીય રિઝર્વ બેંક તરફથી નોટબંધીને લગતા આંકડા સાર્વજનિક કરાયા બાદ હવે આવક વેરા વિભાગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. આવક વેરા વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે, લગભગ 10 લાખ પર તેઓ નજર રાખી રહ્યાં છે. આ લોકો નોટબંધી દરમિયાન સંદિગ્ધ શ્રેણીમાં આવી ગયા છે, કારણ કે તેમના ખાતામાં વધુ પ્રમાણમાં પૈસા જમા કરાવવામાં આવ્યા છે. આ અંગે આવક વેરા વિભાગની તપાસ ચાલુ છે. આવક વેરા વિભાગ અનુસાર, નોટબંધી દરમિયાન કુલ 9.72 લાખ લોકોએ કુલ 13.33 લાખ ખાતાઓમાં 2.89 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા. આ 9.72 લાખ લોકો પર આવક વેરા વિભાગની નજર છે અને તેમને જાણકારી આપ્યા વિના જ તેમની તપાસ થઇ રહી છે. માત્ર 3-4 અઠવાડિયાની અંદર જ આ ખાતાઓમાં પૈસા જમા કરાવવામાં આવ્યા હતા.

modi government

બીજી બાજુ નાણા મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે, નોટબંધીથી ઘણો ફાયદો થયો છે. નોટબંધીને કારણે લોકો તરફથી ફાઇળ થતા ટેક્સ રિટર્નમાં 5.43 ટકાનો વધારો નોંધાયો છે. કુલ કરદાતામાં 1.26 કરોડનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે, બુધવારે આરબીઆઇ તરફથી નોટબંધી સંબંધિત જાણકારી જાહેર કરવામાં આવી હતી, જે અનુસાર 99 ટકા નોટ સિસ્ટમમાં પરત આવી ચૂકી છે. આ આંકડાઓ અનુસાર, કુલ 15.44 લાખ કરોડ રૂપિયામાંથી 15.28 લાખ કરોડ રૂપિયા આરબીઆઇમાં પરત આવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X