ગેસ સિલિન્ડર, ટોલ, સોનુ, ટેક્સ સહિત બદલાયા આ 13 મોટા નિયમો, જે તમારા ખિસ્સા પર કરશે અસર
આજે 1 એપ્રિલથી નવા નાણાકીય વર્ષ 2023-24ની શરુઆત થઈ ચૂકી છે. નવા વર્ષની શરુઆતમાં જ સામાન્ય જનતાના ખિસ્સા પર અસર કરે તેવા ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. 1 એપ્રિલથી સોનાના હૉલમાર્કિંગ, નવી કર વ્યવસ્થા, ટોલ ટેક્સ, રોકાણની યોજના, ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ ગયો છે. વળી, પેઈનકિલર્સ, એંટીબાયોટિકસ અને હાર્ટની દવાઓ પણ મોંઘી થઈ રહી છે. જેની સીધી અસર રોજિંદા જીવનમાં ખિસ્સા પર પડવાની છે.

ગેસ સિલિન્ડના ભાવમાં ફેરફાર
આજથી એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 19 કિલોના કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 91.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્લીમાં 19 કિલોના કૉમર્શિયલ સિલિન્ડરની નવી કિંમત 2,028 રૂપિયા હશે. જોકે, ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે.
સોનાની ખરીદીમાં ફેરફાર
સરકારે 1 એપ્રિલના રોજ સોનાની ખરીદી સંબંધિત એક મહત્વપૂર્ણ નિયમમાં ફેરફાર કર્યો છે. 1 એપ્રિલથી સોનાના આભૂષણો અને સોનાની કલાકૃતિઓ છ-અંકના આલ્ફાન્યૂમેરિક એચયુઆઈડી વિના વેચવામાં આવશે નહીં. આજથી દેશમાં માત્ર 6-અંકના આલ્ફાન્યૂમેરિક નંબર સાથે હૉલમાર્કવાળી જ્વેલરી વેચી શકાશે. અત્યાર સુધી ચાર અંક તેમજ છ અંકના એચયુઆઈડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે ગ્રાહકોમાં અસમંજસનો માહોલ સર્જાયો હતો. જે બાદ સરકારે 4 અંકના હૉલમાર્કિંગને સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. હવે માત્ર 6 અંકના હૉલમાર્કનો ઉપયોગ કરવાનો રહેશે.
હીરોએ ટુ-વ્હીલર્સના ભાવમાં કર્યો વધારો
MotoCorp એ તેની બાઇક અને સ્કૂટરની કિંમતમાં 2 ટકાનો વધારો કર્યો છે. વેરિઅન્ટના આધારે કંપનીના લાઇન-અપમાં વિવિધ મોડલ્સ પર વધેલી કિંમતો લાગુ થશે. હીરોની સૌથી લોકપ્રિય બાઇક સ્પ્લેન્ડર આજથી 1500 રૂપિયા મોંઘી થઈ ગઈ છે. કંપનીની ઑફિશિયલ વેબસાઈટ પર જઈને તમે મોડલ પ્રમાણે વધેલી કિંમતો જોઈ શકો છો.
પાન વિના પીએફ કાઢવા પર ઓછો ટેક્સ
પ્રોવિડન્ટ ફંડ (PF)માંથી ઉપાડને લઈને ટેક્સ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 1 એપ્રિલથી, જો તમે PF અકાઉન્ટ સાથે પાન લિંક ન હોય અને પૈસા ઉપાડો છો, તો હવે TDS 30% ને બદલે 20% થશે. બદલાયેલા નિયમથી એવા પીએફ ખાતાધારકોને ફાયદો થશે જેમના PAN હજુ અપડેટ થયા નથી.
સાત લાખ સુધીની કમાણી ટેક્સ ફ્રી
આજથી આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે. ફક્ત તે લોકો જ આ ફેરફારનો લાભ લઈ શકશે કે જેમણે નવી કર વ્યવસ્થા પસંદ કરી છે. નવી કર વ્યવસ્થામાં, આવકવેરા કાયદાની કલમ 87A હેઠળ કર મુક્તિ 12,500 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવી છે. નવી કર વ્યવસ્થામાં કરમુક્તિનો અવકાશ ભલે વધારવામાં આવ્યો છે, પરંતુ નવી વ્યવસ્થા હેઠળ સાત લાખ રૂપિયા સુધીની કમાણી પર ઝીરો ટેક્સનો લાભ લેનારાઓને 80C હેઠળ મુક્તિનો લાભ નહીં મળે.
મહિલા સમ્માન બચત યોજના
કેન્દ્રીય બજેટમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ મહિલા સન્માન બચત પ્રમાણપત્ર 2023 યોજના આજથી અમલમાં આવી છે. નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં મહિલાઓને માત્ર બે વર્ષની ડિપોઝિટ પર 7.5 ટકા વ્યાજ મળશે. આ યોજના આંશિક ઉપાડ વિકલ્પ સાથે 7.5 ટકાના નિશ્ચિત વ્યાજ દરે બે વર્ષના કાર્યકાળ માટે મહિલાઓ અથવા છોકરીઓના નામે રૂ. 2 લાખ સુધીની ડિપોઝિટ સુવિધા પ્રદાન કરશે. સ્કીમ હેઠળ ઓછામાં ઓછા 1,000 રૂપિયા અને વધુમાં વધુ 2 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. ડિપોઝિટ જમા થયાની તારીખથી બે વર્ષ પૂર્ણ થવા પર પરિપક્વ થશે.
ટોલ ટેક્સના ભાવ વધ્યા
1 એપ્રિલથી દેશના હાઈવે અને એક્સપ્રેસ વે પર મુસાફરી મોંઘી થઈ ગઈ છે. દિલ્લી-મેરઠ એક્સપ્રેસ વે અને દિલ્લી-લખનઉ એક્સપ્રેસ વે સહિત દેશના તમામ હાઈવે અને એક્સપ્રેસ વે પર આજથી ટોલ ટેક્સમાં લગભગ 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. દરેક નાણાકીય વર્ષની શરૂઆતમાં ટોલ ટેક્સમાં સુધારો કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ કેટલાક એક્સપ્રેસ વે પર ટોલના ભાવમાં 18 ટકા સુધીનો વધારો થઈ શકે છે.
નાની બચત યોજનાના વ્યાજદરોમાં વધારો
1 એપ્રિલથી નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓને ડિપોઝિટ પર વધુ વ્યાજ મળશે. સરકારે એપ્રિલ-જૂન 2023ના ત્રિમાસિક ગાળા માટે વ્યાજદરમાં વધારો કર્યો છે. નાની બચત યોજનાઓ પર વ્યાજ દરમાં 70 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે માસિક આવક યોજના, રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર, કિસાન વિકાસ પત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી યોજનાઓના વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. RBIના વ્યાજદરમાં વધારો કર્યા બાદ મોટાભાગની બેંકોએ FD પર વ્યાજ વધાર્યુ છે.
એમિશનને લગતા નિયમો બદલાયા
સરકાર દેશમાં 1 એપ્રિલ 2023થી BS-6 ઉત્સર્જન ધોરણોનો બીજો તબક્કો શરૂ કરવા જઈ રહી છે. ઓટોમોબાઈલ કંપનીઓ ઘણા ફેરફારો કરવા જઈ રહી છે. જેની અસર વાહનોના ભાવ પર પણ જોવા મળી હતી. આ સંદર્ભમાં 1 એપ્રિલથી વાહનોના ભાવમાં વધારો પણ જોવા મળી શકે છે. તે જ સમયે, ટુ-વ્હીલર માટે ઓન-બોર્ડ ડાયગ્નોસ્ટિકનો બીજો તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. તે જ સમયે, વાસ્તવિક ડ્રાઇવિંગ ઉત્સર્જન અને કોર્પોરેટ સરેરાશ ઇંધણ અર્થતંત્ર જેવા ધોરણો ફોર વ્હીલર્સ માટે લાગુ થશે. નિયમોમાં થયેલા ફેરફારોને કારણે Hero MotoCorp એ પણ તેની 2-વ્હીલર બાઇકની કિંમતમાં 2% વધારો કરવાની જાહેરાત કરી છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
