For Quick Alerts
For Daily Alerts
2જી : અનિલ અને ટીનાને સાક્ષી તરીકે રજૂ કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે અનિલ અંબાણી અને ટીના અંબાણી તે 70 સાક્ષીઓ પૈકી છે જેમને સીબીઆઇ એટલા માટે પૂછપરછ કરવા માંગે છે જેથી 2જી કૌભાંડના આરોપીઓ વિરુદ્ધ પોતાનો કેસ વધારે મજબૂત કરી શકે.
આ અંગે સીબીઆઇ નિર્દેશક રંજીત સિંહાએ અહેવાલને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે અમે વધારાના સાક્ષીઓને બોલાવવા માટે 2જી કોર્ટમાં અરજી કરી છે. જેમાં અનિલ અને ટીના અંબાણીનો પણ સમાવેશ થાય છે. આ બંને સાક્ષી તરીકે ફરિયાદી પક્ષને કેસ મજબૂત કરવામાં મદદરૂપ બનશે. વધારાના સાક્ષીઓને એ સમયે બોલાવવાની માંગ કરવામાં આવી છે જ્યારે સમગ્ર કેસ નિર્ણાયક સ્થિતિમાં પહોંચી જાય.
Comments
English summary
2G: Anil and Tina will be introduced as Witness
Story first published: Thursday, May 30, 2013, 14:38 [IST]