Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતીય રૂપિયામાં 7 ટકાની ફાસ્ટ રિકવરીના 5 કારણો

ભારતીય રૂપિયો સપ્ટેમ્બર 2013ના પ્રથમ સપ્તાહમાં અમેરિકન ડૉલર સામે 68.81ની ઐતિહાસિક નીચી સપાટીને સ્પર્શી ગયો હતો. આમ છતાં થોડા જ સમયમાં તેણે નોંધપાત્ર રિકવરી દર્શાવી હતી. માત્ર સાત ટ્રેડિંગ સેશનમાં રૂપિયાએ સાત ટકા જેટલી રિકવરી નોંધાવી હતી અને ફરી 63.30ની સપાટી મેળવી હતી. આટલી ઝડપથી રૂપિયાની રિકવરી થવાના પાંચ અગત્યના કારણો કયા છે તે જણાવે છે માર્કેટ એક્સપર્ટ...

રાજન તરફથી સકારાત્મક સંકેત

રાજન તરફથી સકારાત્મક સંકેત


આરબીઆઇના નવા ગવર્નર તરીકે 5 સપ્ટેમ્બરે રઘુરામ રાજનની નિયુક્તિ થતા જ માર્કેટમાં સકારાત્મક સંકેત જોવા મળ્યા હતા. મહત્વની બાબત એ છે કે તેમની નિમણૂંક બાદ એક પણ દિવસ રૂપિયો ઘટ્યો નથી.

ક્રુડ પરનું જોખમ ઘટ્યું

ક્રુડ પરનું જોખમ ઘટ્યું


છેલ્લા કેટલાક સમયથી સીરિયા કટોકટી ચાલી રહી હતી. જેના પગલે વિશ્વભરમાં ક્રુડના ભાવમાં વધારો થઇ રહ્યો હતો. આ સમયગાળામાં સીરિયા સંકટ ટળી જતા જ ક્રુડના ભાવ વધતા અટક્યા હતા. ભારત ક્રુડની 80 ટકા આયાત કરે છે. આવા સમયે તેને ખાસ્સી મદદ મળી હતી.

આરબીઆઇએ ડોલર વેચ્યા

આરબીઆઇએ ડોલર વેચ્યા


રૂપિયાને મદદ કરવા માટે આરબીઆઇએ ડોલરનું વેચાણ કર્યું હતું. ફોરેન માર્કેટના રિપોર્ટને ધ્યાનમાં લઇને આરબીઆઇએ ફોરેક્સમાં દરમિયાનગીરી કરી હતી.

શોર્ટ કવરિંગથી તેજી

શોર્ટ કવરિંગથી તેજી


ભારતીય રૂપિયાના અવમૂલ્યનને કારણે ભારતીય સ્ટોક માર્કેટમાં વેચવાલીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ક્રુડ ફેક્ટરે પણ માર્કેટમાં વેચવાલીનો દોર શરૂ કર્યો હતો. જ્યારે આ બે સંકટ ટળ્યા ત્યારે માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે પણ ડોલરની સરખામણીએ રૂપિયાનું મૂલ્ય વધ્યું હતું.

વેપાર ખાધ ઘટી

વેપાર ખાધ ઘટી


છેલ્લા કેટલાક સમયથી રૂપિયાના અવમૂલ્યન, વધતી આયાત અને ઘટતી નિકાસને કારણે ભારતની વેપાર ખાધ વધી હતી. જો કે નિકાસ વધારી આયાતને નિયંત્રિત કરવામાં આવતા વેપાર ખાધમાં ઘટાડો થયો હતો. જેના પગલે રૂપિયાનું ભારણ ઘટ્યું હતું અને તેના મૂલ્યમાં સુધારો જોવા મળ્યો હતો.

રાજન તરફથી સકારાત્મક સંકેત
આરબીઆઇના નવા ગવર્નર તરીકે 5 સપ્ટેમ્બરે રઘુરામ રાજનની નિયુક્તિ થતા જ માર્કેટમાં સકારાત્મક સંકેત જોવા મળ્યા હતા. મહત્વની બાબત એ છે કે તેમની નિમણૂંક બાદ એક પણ દિવસ રૂપિયો ઘટ્યો નથી.

ક્રુડ પરનું જોખમ ઘટ્યું
છેલ્લા કેટલાક સમયથી સીરિયા કટોકટી ચાલી રહી હતી. જેના પગલે વિશ્વભરમાં ક્રુડના ભાવમાં વધારો થઇ રહ્યો હતો. આ સમયગાળામાં સીરિયા સંકટ ટળી જતા જ ક્રુડના ભાવ વધતા અટક્યા હતા. ભારત ક્રુડની 80 ટકા આયાત કરે છે. આવા સમયે તેને ખાસ્સી મદદ મળી હતી.

આરબીઆઇએ ડોલર વેચ્યા
રૂપિયાને મદદ કરવા માટે આરબીઆઇએ ડોલરનું વેચાણ કર્યું હતું. ફોરેન માર્કેટના રિપોર્ટને ધ્યાનમાં લઇને આરબીઆઇએ ફોરેક્સમાં દરમિયાનગીરી કરી હતી.

શેર્ટ કવરિંગથી તેજી
ભારતીય રૂપિયાના અવમૂલ્યનને કારણે ભારતીય સ્ટોક માર્કેટમાં વેચવાલીનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ક્રુડ ફેક્ટરે પણ માર્કેટમાં વેચવાલીનો દોર શરૂ કર્યો હતો. જ્યારે આ બે સંકટ ટળ્યા ત્યારે માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. જેના કારણે પણ ડોલરની સરખામણીએ રૂપિયાનું મૂલ્ય વધ્યું હતું.

વેપાર ખાધ ઘટી
છેલ્લા કેટલાક સમયથી રૂપિયાના અવમૂલ્યન, વધતી આયાત અને ઘટતી નિકાસને કારણે ભારતની વેપાર ખાધ વધી હતી. જો કે નિકાસ વધારી આયાતને નિયંત્રિત કરવામાં આવતા વેપાર ખાધમાં ઘટાડો થયો હતો. જેના પગલે રૂપિયાનું ભારણ ઘટ્યું હતું અને તેના મૂલ્યમાં સુધારો જોવા મળ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X