EPFOના 7 કરોડ મેમ્બરને પડશે ફટકો, ઘટી શકે છે વ્યાજ દર
EPFO: દર નાણાકીય વર્ષ માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન વ્યાજ દરોની જાહેરાત કરે છે. આ તે વ્યાજ છે, જેના પર પીએફ અકાઉન્ટધારકોને સંબંધિત નાણાકીય વર્ષમાં તેમની જમા રાશિ પર વ્યાજ આપવામાં આવે છે. ઇપીએફઓ સાથે જોડાયેલા 7 કરોડથી વધુ કર્મચારીઓને આપવામાં આવનારા વ્યાજનો નિર્ણય શનિવારના રોજ થઇ શકે છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠક 10 ફેબ્રુઆરીએ મળવાની છે. આમાં બોર્ડ નાણાકીય વર્ષ 2023-24માં સબસ્ક્રાઇબર્સને ચૂકવવામાં આવનાર વ્યાજ અંગે નિર્ણય લઈ શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, આ ચૂંટણી વર્ષમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ નાણાકીય વર્ષ 2024 માટે લગભગ 8 ટકાના વ્યાજ દરની ભલામણ કરી શકે છે.

નિવૃત્તિ ફંડ બોડી રોકાણ પર વળતર વધારવા માટે શેરમાં તેનું રોકાણ 10 ટકાથી વધારીને 15 ટકા કરવા માટે બોર્ડની મંજૂરી માંગે તેવી પણ શક્યતા છે. નાણાકીય વર્ષ 2022-23 માટે EPFનો વ્યાજ દર 8.15 ટકા છે. ગયા વર્ષે એટલે કે 2021-22માં તે 8.10 ટકા હતો.
મોકલવામાં આવ્યો છે બેઠક અંગેનો પત્ર - CBTની 235મી બેઠક અંગે બોર્ડના તમામ સભ્યોને સામાજિક સુરક્ષા સંસ્થા દ્વારા પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં તેમને બેઠકમાં હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ મામલા સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર, EPF સભ્યો દ્વારા કરવામાં આવતા ઉપાડ પર વ્યાજ EPF ખાતામાંથી મળેલા યોગદાન અને વર્ષ દરમિયાન મળેલી આવકના આધારે નક્કી કરવામાં આવે છે.
ગયા વર્ષે 28 માર્ચે, EPAO એ નાણાકીય વર્ષ 2022-23 માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ખાતા પર 8.15 ટકા વ્યાજની જાહેરાત કરી હતી. નાણાકીય વર્ષ 2022-23માં વિતરણ માટે રૂપિયા 90,497.57 કરોડની ચોખ્ખી આવક ઉપલબ્ધ હતી, અને સભ્યોના ખાતામાં વ્યાજ જમા કર્યા પછી રૂપિયા 663.91 કરોડની સરપ્લસનો અંદાજ હતો.
આ અંગે પણ ચર્ચા કરવામાં આવશે - અહેવાલ મુજબ, અત્યાર સુધી મીટિંગ પછી શક્ય તેટલી વહેલી તકે વ્યાજ દરોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે તે સ્પષ્ટ નથી કે, વ્યાજ દર જાહેરમાં જાહેર કરવામાં આવશે કે, નવી માર્ગદર્શિકા મુજબ, તે નાણાં મંત્રાલયની પરવાનગી પછી જાહેર કરવામાં આવશે.
ગયા વર્ષે જુલાઈમાં, શ્રમ મંત્રાલયે CBTને નાણાં મંત્રાલયની પૂર્વ પરવાનગી વિના નાણાકીય વર્ષ 2023-24 માટે વ્યાજ દરોની જાહેરમાં જાહેરાત ન કરવા જણાવ્યું હતું. આ સિવાય સીબીટીમાં ઉચ્ચ પેન્શન, EPFOમાં ખાલી જગ્યાઓ પર ભરતી અને EPFO કર્મચારીઓના ટ્રાન્સફરને લઈને સુપ્રીમ કોર્ટના આદેશના અમલને લઈને પણ ચર્ચા થઈ શકે છે.












Click it and Unblock the Notifications
