બંધન બેંક વિશે જાણવા જેવી 10 જરૂરી વાતો
નવી દિલ્હી, 24 ઓગસ્ટ: દેશના નાણામંત્રી અરૂણ જેટલીએ 23 ઓગસ્ટ 2015ના રોજ બંધન બેંકનું ઉદઘાટન કર્યું છે. સ્વતંત્રતા બાદ પૂર્વ ભારતની પહેલી કોમર્શિયલ બેંક છે, જેને આરબીઆઇની માન્યતા પ્રાપ્ત છે.
બંધન બેંકના સંસ્થાપક અને પ્રબંધ નિર્દેશક ચંદ્ર શેખર ઘોષ છે, જેમનું ઉદ્દેશ્ય નાના વ્યાપારિયો અને નાના ઉદ્યોગ લગાવનારને નાણાકિય સહાય ઉપલબ્ધ કરાવવાનું છે.
આવો વાચીએ કે બંધન બેંક સાથે જોડાયેલ મહત્વની વાતો...
1
બંધન બેંકે એક સાથે 501 શાખાઓ, 2022 સેવા કેન્દ્રો અને 50 એટીએમ મશીનોની સાથે 24 રાજ્યોમાં શરૂઆત કરી છે.
2
2016ના નાણાકીય વર્ષના અંત સુધી દેશના 27 રાજ્યોમાં આ બેંકની 632 શાખાઓ અને 250 એટીએમ હશે.
3
બંધન બેંકે કુલ 1.43 કરોડ એકાઉંટ ખોલવાની સાથે મોટી શરૂઆત કરી છે.
4
બંધન બેંકમાં લગભગ 10.500 હજાર કરોડ લોન બુક થઇ ચુકી છે. બેંકમાં 19500 કર્મચારી છે.
5
બેંકની 71 ટકા શાખાઓ દેશની ગ્રામીણ ક્ષેત્રોમાં છે. 35 ટકા એવા વિસ્તારોમાં છે, જ્યા પહેલા ક્યારેય કોઇ બેંક ન્હોતી.
6
પશ્ચિમ બંગાળમાં સૌથી વધારે 220 શાખાઓ છે. પછી બિહાર (67), અસમ (60), મહારાષ્ટ્ર(21), ઉત્તર પ્રદેશ(20), ત્રિપુરા(20), અને ઝારખંડ(15) છે.
7
બંધન બેંકનું વડુમથક કોલકાતામાં છે, જેના બે ડિવિઝન છે.
8
આ બેંકનું ઉદ્દેશ્ય દેશના આર્થિક રૂપથી નબળા વર્ગને નાણાકિય સહાય પૂરી પાડવાનું છે.
9
આ બેંકની શરૂઆતમાં જ 75 લાખ ઉપભોક્તા છે.
10
આ બેંકથી નોર્થ ઇસ્ટને નવી આર્થિક મજબૂતી પ્રદાન થશે.