BOI FD News: બેંક ઓફ ઇન્ડિયા તેની સ્પેશિયલ ફિક્સ્ડ ડીપોઝિટ યોજના બંધ કરવાની જાહેરાત કરી
Bank of India FD Interest Rate : બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની 400 દિવસની વિશેષ ફિક્સ્ડ ડીપોઝિટ (FD) યોજના બંધ કરવાની જાહેરાત કરી છે.
આ યોજનામાં વધુમાં વધુ 7.30% ની વ્યાજદર આપવામાં આવી રહ્યું હતી. આ સિવાય બેંકે રેપો રેટમાં ઘટાડા બાદ પોતાની અન્ય FD યોજનાઓના વ્યાજદરોમાં પણ ઘટાડો કર્યો છે. નવા વ્યાજદર 15 એપ્રિલ 2025થી લાગુ પડશે.

આ નિર્ણય ભારતીય રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ લેવામાં આવ્યો છે. આનો ઉદ્દેશ બેંકિંગ સિસ્ટમમાં વ્યાજદરોને સામાન્ય પરિસ્થિતિમાં લાવવાનો છે, જેથી ગ્રાહકોને વ્યાજદરમાં સ્થિરતા મળે.
હવે બેંક ઓફ ઇન્ડિયાની FD યોજનાઓમાં વ્યાજદર બદલાઈ છે. જો તમારી FD 3 કરોડથી ઓછી છે અને તેનો સમયગાળો 91 થી 179 દિવસના સમય દરમ્યાનનો છે તો હવે તમને 4.25% વ્યાજ મળશે. આ ઉપરાંત 180 દિવસથી 1 વર્ષ સુધીની FD પર 5.75% અને 1 વર્ષ માટે 7.05% વ્યાજ આપવામાં આવશે.
આ સિવાય જો તમારી FDની રકમ 3 કરોડથી 10 કરોડ સુધી છે તો 91 થી 179 દિવસ સુધીની FD પર 5.75% વ્યાજ મળશે. 180 થી 210 દિવસ સુધીની FD પર 6.25% વ્યાજ મળશે.
211 દિવસથી 1 વર્ષ સુધીની FD પર 6.50% વ્યાજ મળશે. 1 વર્ષ માટે 7.05% વ્યાજ મળશે અને 1 થી 2 વર્ષ સુધીની FD પર 6.70% વ્યાજ મળશે.
વારિષ્ઠ નાગરિકો (60 વર્ષથી વધુ) માટે એક વિશેષ લાભ આપવામાં આવ્યો છે. 3 કરોડથી ઓછી રકમ પર જો FDની અવધિ 6 મહિના અથવા વધુ છે તો તેમને 0.50% વધુ વ્યાજ મળશે. સુપર વરિષ્ઠ નાગરિકોને (80 વર્ષથી વધુ) 0.65% વધુ વ્યાજ મળશે.
આ સિવાય દેશની ઘણી મુખ્ય બેંકોએ પણ તેમના FD વ્યાજદરોમાં ફેરફાર કર્યો છે. ભારતીય સરકારી બેંકોમાંથી એક ઇન્ડિયન બેંકે તેના રેપો-રિલેટેડ બેંચમાર્ક લેનિંગ રેટ (RBLR) માં 35 બેઝ પોઈન્ટનો ઘટાડો કર્યો છે, જેના પછી વ્યાજદર 8.70% થઈ ગઈ છે. આ નવી વ્યાજદરો 11 એપ્રિલ 2025થી લાગુ કરવામાં આવી છે.
બેંક ઓફ બડોદાએ પણ તેની FD વ્યાજદરમાં 0.20% નો ઘટાડો કર્યો છે. એચડીફસી બેંક અને કોટક મહિન્દ્રા બેંકે પણ તેમની FD વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. કોટક મહિન્દ્રા બેંક અગાઉ 390 દિવસ માટે 7.40% વ્યાજ આપતી હતી અને હવે આ વ્યાજ 7.25% થઈ ગઈ ગયુ છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત


Click it and Unblock the Notifications
