Budget 2023: પાન કાર્ડને સિંગલ બિઝનેસ આઇડી તરીકે મળી માન્યતા
બજેટ 2023માં સૌથી મોટી જાહેરાત કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે વાર્ષિક 7 લાખ સુધીની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે હવે બજેટ 2023-23માં પાન કાર્ડને ઓળખ કાર્ડ તરીકે માન્યતા આપી છે. હવે તમામ સરકારી વિભાગોમાં તમામ પ્રકારના ડિજિટલ કામ માટે પાન કાર્ડને એક સામાન્ય ઓળખ તરીકે સ્વીકારવામાં આવશે. સરકારે બજેટ 2023માં પાન કાર્ડને સિંગલ બિઝનેસ આઈડી તરીકે માન્યતા આપી છે. પાન કાર્ડનો ઉપયોગ હવે સિંગલ બિઝનેસ આઈડી તરીકે થઈ શકશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે પાન કાર્ડ હવે તમામ સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમ માટે એક કોમન બિઝનેસ આઈડી હશે. તે વ્યવસાય કરવા માટે સરળતા આપશે અને કાયદાકીય આદેશ સાથે અમલમાં આવશે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે યુનિફાઇડ ફાઇલિંગ પ્રક્રિયાની સ્થાપના કરવામાં આવશે જેથી રિટર્ન ફાઇલ કરનારાઓની પસંદગીની એજન્સીઓ સામાન્ય પોર્ટલ પરથી ડેટા મેળવી શકે. આ સાથે, આધાર ડિજીલોકરની ઓળખ તરીકે માન્ય રહેશે. KYCની પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવશે.
બજેટ 2023ની કેટલીક મોટી જાહેરાતો
- કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, વાર્ષિક 7 લાખ સુધીની કમાણી કરનારાઓએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.
- કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 3 કરોડનું ટર્નઓવર ધરાવતા સૂક્ષ્મ ઉદ્યોગોને ટેક્સમાં છૂટ આપવામાં આવશે.
- નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, વરિષ્ઠ નાગરિક ખાતા યોજનાની મર્યાદા 4.5 લાખથી વધારીને 9 લાખ કરવામાં આવશે.
- નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, "મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ થશે. આમાં મહિલાઓને 2 લાખ રૂપિયાની બચત પર 7.5% વ્યાજ મળશે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી








Click it and Unblock the Notifications
