Budget 2024: સરકારી કર્મચારીઓ માટે વચગાળાના બજેટમાં થઈ શકે છે 300 રજાઓનુ એલાન
Earned Leaves New Rule: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ મોદી સરકારના બીજા કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કરશે. બજેટ પહેલા દરેક વર્ગના લોકો આશાવાદી છે. આ દરમિયાન એવી માહિતી સામે આવી રહી છે કે બજેટમાં સરકારી કર્મચારીઓની અર્જિત રજાઓમાં વધારો થઈ શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્ર સરકાર કર્મચારીઓની અર્જિત રજા 240થી વધારીને 300 કરી શકે છે. સરકારી કર્મચારીઓની અર્જિત રજા વધારવા અંગે મોદી સરકાર ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે.

તમને જણાવી દઈએ કે, લેબર કોડના નિયમોમાં ફેરફારને લઈને સરકારે શ્રમ મંત્રાલય, મજૂર સંઘ અને ઉદ્યોગના પ્રતિનિધિઓ વચ્ચે કામના કલાકો, વાર્ષિક રજા, પેન્શન, પીએફ, ટેક હોમ સેલરી, રિટાયરમેન્ટ વગેરે અંગેના નવા નિયમો પર સહમતિ દર્શાવી છે. અમુક પર હજુ નિર્ણય કરવાનો બાકી છે. ઘણા સમયથી કર્મચારીઓ અર્જિત રજા 240થી વધારીને 300 કરવાની માંગ કરી રહ્યા છે. આ વખતે સરકાર બજેટમાં તેની જાહેરાત કરે તેવી આશા છે.
મની કંટ્રોલના સમાચાર અનુસાર, સપ્ટેમ્બર 2020માં સંસદ દ્વારા શ્રમ સુધારણા સંબંધિત નવા કાયદા પસાર કરવામાં આવ્યા હતા. હવે કેન્દ્ર સરકાર તેને વહેલી તકે લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે. જો કે તે આમ કરવા સક્ષમ નથી. હવે આ વખતે સરકાર બજેટમાં આ અંગે કેટલીક જાહેરાત કરે તેવી આશા છે.
અર્જીત રજા, જેને વાર્ષિક રજા અથવા અવકાશ રજા તરીકે પણ ઓળખવામાં આવે છે. તે કર્મચારીઓને તેમની સેવા અવધિના આધારે આપવામાં આવે છે. તે સામાન્ય રીતે કર્મચારીએ ચોક્કસ સમયગાળો (કેલેન્ડર વર્ષમાં 240 દિવસ કરતાં વધુ) પૂર્ણ કર્યા પછી આપવામાં આવે છે. સામાન્ય રીતે કામના દર 20 દિવસ માટે એક કમાયેલી રજા આપવામાં આવે છે.
જો લેબર કોડ અમલમાં આવે છે, તો તેમાં ઘણા ફેરફારો થઈ શકે છે. લેબર કોડના નિયમો અનુસાર મૂળ પગાર કુલ પગારના 50 ટકા કે તેથી વધુ હોવો જોઈએ. એવું માનવામાં આવે છે કે જો આ કાયદો લાગુ કરવામાં આવે છે, તો તે મોટાભાગના કર્મચારીઓના પગાર માળખામાં ફેરફાર કરશે. જો મૂળ પગાર વધે છે, તો મોંઘવારી ભથ્થા અને ગ્રેચ્યુઇટીમાં કપાતી રકમ વધશે. આનાથી હાથમાં રહેલા પગારમાં ઘટાડો થશે. પરંતુ તેના પીએફમાં નોંધપાત્ર વધારો થશે જેના કારણે તેને નિવૃત્તિ પછી વધુ પૈસા મળશે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
