Budget 2024 : બજેટમાં સામાન્ય લોકો માટે શું? જાણો 10 મહત્વની બાબતો
નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજુ કર્યુ કર્યુ છે. ચૂંટણી પહેલાના આ બજેટમાં સરકાર દ્વારા કોઈ મોટી જાહેરાત નથી કરાઈ. આ નિર્મલા સીતારમણનું છઠ્ઠુ બજેટ છે.
નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં કહ્યું કે, અમે વચગાળાના બજેટની પરંપરા ચાલુ રાખી છે. વચગાળાના બજેટમાં કોઈ લોકપ્રિય જાહેરાતો કરવામાં આવતી નથી. આ કારણે મોદી સરકારે કોઈ મોટી જાહેરાત કરવાનું ટાળ્યું છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે, અમારી સરકાર ફરીથી સત્તામાં આવ્યા બાદ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ કરશે. જુલાઈમાં સંપૂર્ણ બજેટમાં અમારી સરકાર વિકસિત ભારતના લક્ષ્યનો વિગતવાર રોડમેપ તમારી સમક્ષ રજૂ કરશે.
વચગાળાના બજેટની 10 મોટી બાબતો
1. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે વચગાળાના બજેટ ભાષણમાં કહ્યું કે, આપણે ગરીબો, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, તેમની જરૂરિયાતો અને આકાંક્ષાઓ અમારી સરકારની ટોચની પ્રાથમિકતા છે.
2. નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, અત્યાર સુધી 70% મહિલાઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં ઘરો મળ્યા છે. જે અમે આગળ પણ ચાલુ રાખીશું.
3. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, પીએમ આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ, અમે અત્યાર સુધીમાં 3 કરોડ ઘર બનાવવાનું કામ પૂર્ણ કર્યું છે. આગામી 5 વર્ષમાં બીજા 2 કરોડ મકાનો બનાવવામાં આવશે.
4. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, હવે તમામ આશા વર્કર, આંગણવાડી વર્કર અને હેલ્પરને પણ આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
5. રેલવે બજેટ પર બોલતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું, અમે ત્રણ નવા મોટા આર્થિક રેલવે કોરિડોર બનાવીશું. જેમાંથી પહેલો એનર્જી, મિનરલ અને સિમેન્ટ કોરિડોર, બીજો પોર્ટ કનેક્ટિવિટી કોરિડોર અને ત્રીજો હાઇ ટ્રાફિક ડેન્સિટી કોરિડોર હશે.
6. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, અમે આવનારા સમયમાં 40,000 સામાન્ય રેલ્વે કોચને વંદે ભારત કોચમાં રૂપાંતરિત કરીશું.
7. આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર થશે નહીં. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, હું આયાત ડ્યુટી સહિત પ્રત્યક્ષ અને પરોક્ષ કર માટે સમાન કર દરો જાળવી રાખવાનો પ્રસ્તાવ મૂકું છું.
8. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે, 2024-25માં રાજકોષીય ખાધ જીડીપીના 5.1% રહેવાનો અંદાજ છે.
9. નાણાકીય વર્ષ 2025માં ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેનો ખર્ચ વધારીને 1.11 લાખ કરોડ કરવામાં આવ્યો છે.
10. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે, અમારી સરકાર સ્થાનિક પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે લક્ષદ્વીપ સહિતના અમારા ટાપુઓ પર પોર્ટ કનેક્ટિવિટી, પ્રવાસન માળખાકીય સુવિધાઓ અને સુવિધાઓ માટે પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
