Budget 2025 : કેન્દ્રિય બજેટમાં હોમ લોન પર મળી શકે છે છુટ, સરકાર કરી શકે છે મોટી જાહેરાત
Budget 2025 : 1 ફેબ્રુઆરીએ કેન્દ્રિય બજેટ આવવા જઈ રહ્યું છે. આ બજેટ પહેલા વિવિધ સેક્ટર સાથે જોડાયેલા લોકો વિવિધ પ્રકારની માંગણી કરી રહ્યાં છે.
આ માંગણીઓમાં એક માંગણી હોમ લોનમાં છુટછાટની પણ છે. જાણકારોનું માનીએ તો સરકાર આ મુદ્દે બજેટમાં કોઈ મોટી જાહેરાત કરી શકે છે.

જાણકારો અનુસાર, બજેટમાં સરકાર કર મુક્તિ અંગે કેટલીક જાહેરાત કરી શકે છે. નિષ્ણાતો નવી કર પ્રણાલીમાં હોમ લોનનો સમાવેશ કરવાનું વિચારી રહ્યા છે. આ સ્થિતિમાં બજેટમાં પણ તેની જાહેરાત થઈ શકે છે.
જ્યારે જૂની કર પ્રણાલી હેઠળ કરદાતાઓને હોમ લોન કપાતનો લાભ મળે છે. જે લોકો જૂની કર વ્યવસ્થા પસંદ કરે છે તે કબજા હેઠળની મિલકત પર હોમ લોનના વ્યાજ માટે 2 લાખ રૂપિયા સુધીની કપાતનો દાવો કરી શકે છે, જે નવી કર વ્યવસ્થામાં ઉપલબ્ધ નથી.
આ નવી સિસ્ટમમાં ભાડાની મિલકતો માટે કેટલીક છૂટછાટો છે. આવકવેરા કાયદાની કલમ 24 મુજબ કરપાત્ર ભાડાની આવકમાંથી હોમ લોનના વ્યાજની કપાત પર કોઈ મર્યાદા નથી. જો કે, લોન પરનું વ્યાજ ઘણીવાર ભાડાની આવક કરતાં વધી જાય છે, જેના પરિણામે મિલકત માલિકને નુકસાન થાય છે.
આ નુકસાનને અન્ય સ્ત્રોતોમાંથી થતી આવક સામે સરભર કરી શકાતું નથી અથવા નવી કર વ્યવસ્થામાં આગળ ધપાવી શકાતું નથી.
ICAI એ સરકારને નવી કર વ્યવસ્થા હેઠળ 2 લાખ રૂપિયા સુધીના વ્યાજ પર કપાતની મંજૂરી આપવા વિનંતી કરી છે. ICAI એ સૂચન કર્યું છે કે ઘરની મિલકતમાંથી થયેલા નુકસાનને અન્ય હેડ હેઠળની આવક સામે સેટઓફ કરવાની મંજૂરી અપાય.
આવા કિસ્સાઓમાં જ્યાં અન્ય કોઈ આવક ન હોય તો ICAI દરખાસ્ત છે કે નુકસાન આગામી 8 આકારણી વર્ષો માટે ઘરની મિલકતમાંથી થતી આવક સામે સેટ ઓફ કરવાને પાત્ર હોવું જોઈએ.












Click it and Unblock the Notifications
