કેન્દ્ર સરકારે મોંઘવારી વચ્ચે આપી રાહત, હવે મળશે આ લાભ
કેન્દ્ર સરકારે નિવૃત કર્માચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. સરકારે પેન્શનધારકોને મોંઘવારી રાહત (DR) અંગે મોટી જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકારે નિવૃત કર્માચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. સરકારે પેન્શનધારકોને મોંઘવારી રાહત (DR) અંગે મોટી જાહેરાત કરી છે. મીનીસ્ટ્રી ઓફ પર્સનલ અંતર્ગત આવનારા પેન્શન ધારકો અને કલ્યાણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પેન્શનધારકોને મોંઘવારી ભથ્થાની ચૂકવણી જૂના અને ઓરિજિનલ બેઇઝિક પેન્શનના આધારે કરવામાં આવશે. આ માટે સંબંધિત વિભાગના અધિકારિક નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે.
સરકારે મેમોરેન્ડમ બહાર પાડ્યું
પેન્શનરો અને કલ્યાણ વિભાગે જણાવ્યું છે કે, તેમને આ સંબંધિત અનેક પ્રશ્નો મળ્યા હતા, જેમાં પૂછવામાં આવ્યું હતું કે, શું બેઝિક પેન્શન પર મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે કે, પેન્શન પર કમ્યુટેશન બાદ તેમાં ઘટાડો કરવામાં આવે છે?
આ અંગે માહિતી આપતા વિભાગે જણાવ્યું છે કે, કમ્યુટેશન પહેલા બેઝિક પેન્શન પર અથવા કમ્યુટેશન પહેલા બેઝિક પેન્શન પર કમિશનની ભલામણોના આધારે મોંઘવારી રાહત આપવામાં આવી છે.
કમ્યુટેડ પેન્શનની કપાત બાદ પેન્શન પર મોંઘવારી રાહત ચૂકવવામાં આવી રહી નથી.વિભાગની આ સ્પષ્ટતાએ પેન્શનરોની એ મૂંઝવણ દૂર કરી છે કે, તેમને મોંઘવારી રાહત મૂળ મૂળભૂત પેન્શનના આધારે ચૂકવવામાં આવે છે, કોમ્યુટેશન પછી ઘટેલા પેન્શનના આધારે નહીં.
પેન્શનરોને મોંઘવારી રાહત મળે છે
અત્રે નોંધનીય છે કે, પેન્શન નિયમો 2021ના પેટા-નિયમ 52 હેઠળ, વધતી મોંઘવારી વચ્ચે નિવૃત્ત કર્મચારીઓને પેન્શન રાહત ચૂકવવામાં આવે છે.આ રકમ પેન્શનર અથવા તેના લાભાર્થીને આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, મોંઘવારી ભથ્થાની જેમ સરકાર દર અડધા વર્ષે તેમાં વધારાની જાહેરાત કરે છે અને કર્મચારીઓ માટે ડીએમાં વધારો કરતી વખતે નિવૃત્ત કર્મચારીઓ માટે ડીઆર વધારવાની જાહેરાત કરવામાં આવે છે.
આ સમયે DR કેટલું છે?
ઉલ્લેખનીય છે કે, આ વખતે 7મા પગાર પંચ હેઠળ કેન્દ્ર સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાને વધારીને 38 ટકા કરી દીધો છે. આ સાથે પેન્શનરો માટે મોંઘવારી રાહત પણ વધારીને 38 ટકા કરવામાં આવી છે.
અત્રે એ પણ નોંધનીય છે કે, પેન્શનરો માટે આ મોંઘવારી રાહતની ગણતરી કોમ્યુટેશન પહેલા બેઝિક પેન્શનના આધારે કરવામાં આવશે. 1 જુલાઈ, 2022થી 38 ટકા મોંઘવારી રાહત લાગુ કરવામાં આવી છે.