Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોલ ગેટ : સરકાર 32 કંપનીઓને કારણદર્શક નોટિસ મોકલશે

coal-block
નવી દિલ્હી, 15 મે : આંતર મંત્રાલય સમૂહ (આઇએમજી)એ કોલસા ખાણ ફાળવણી થયેલી 32 કંપનીઓને કારણદર્શક નોટિસ મોકલવા માટે કોલસા મંત્રાલયને ભલામણ કરી છે. જે 32 કંપનીઓને નોટિસ મોકલવામાં આવનાર છે તેમાં ટાટા, બિરલા, જયસ્વાલ અને જિંદાલ ગ્રુપનો પણ સમાવેશ થાય છે.

લાયસન્સ રદ કરવાની પ્રક્રિયામાં આ પ્રથમ પગલું છે. ખાસ બાબત એ છે કે સૌથી વધારે કારણ દર્શક નોટિસ જિંદાલ ગ્રુપને મોકલવામાં આવશે. નવીન જિંદાલ ગ્રુપને કુલ 11 બ્લોક ફાળવવામાં આવ્યા હતા. મંત્રાલયના એક સૂત્રએ મંગળવારે જણાવ્યું કે કંપનીઓને કારણદર્શક નોટિસ પાઠવવાની ભલામણ કરવા પાઠળનું કારણ આ કંપનીઓ દ્વારા ઉત્પાદન ઘટાડવાનું છે.

સરકારે જુલાઇ 2012માં આઇએમજીની રચના કરી હતી જેથી જે કંપનીઓને સીમિત ઉપયોગ માટે કોલસા ખાણોની ફાળવણી કરવામાં આવી છે તેમના કાર્યની પ્રગતિ પર નજર રાખી શકાય. આ દરમિયાન 58 ખાણોને નિશ્ચિત સમયસીમાની અંદર ખાણોનો વિકાસ ન કરવાને કારણે કારણદર્શક નોટિસ આપવામાં આવી ચૂકી છે.

આ પહેલા સરકારે આઇએમજી દ્વારા 13 ખાણોની ફાળવણી રદ કરવાની તથા 14 કોલસા ખાણોની ફાળવણી કંપનીઓની બેંક ગેરંટી ઘટાડવાની ભલામણોનો સ્વીકાર કરી લીધો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X