For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલ ગેટ : સરકાર 32 કંપનીઓને કારણદર્શક નોટિસ મોકલશે

|
Google Oneindia Gujarati News

coal-block
નવી દિલ્હી, 15 મે : આંતર મંત્રાલય સમૂહ (આઇએમજી)એ કોલસા ખાણ ફાળવણી થયેલી 32 કંપનીઓને કારણદર્શક નોટિસ મોકલવા માટે કોલસા મંત્રાલયને ભલામણ કરી છે. જે 32 કંપનીઓને નોટિસ મોકલવામાં આવનાર છે તેમાં ટાટા, બિરલા, જયસ્વાલ અને જિંદાલ ગ્રુપનો પણ સમાવેશ થાય છે.

લાયસન્સ રદ કરવાની પ્રક્રિયામાં આ પ્રથમ પગલું છે. ખાસ બાબત એ છે કે સૌથી વધારે કારણ દર્શક નોટિસ જિંદાલ ગ્રુપને મોકલવામાં આવશે. નવીન જિંદાલ ગ્રુપને કુલ 11 બ્લોક ફાળવવામાં આવ્યા હતા. મંત્રાલયના એક સૂત્રએ મંગળવારે જણાવ્યું કે કંપનીઓને કારણદર્શક નોટિસ પાઠવવાની ભલામણ કરવા પાઠળનું કારણ આ કંપનીઓ દ્વારા ઉત્પાદન ઘટાડવાનું છે.

સરકારે જુલાઇ 2012માં આઇએમજીની રચના કરી હતી જેથી જે કંપનીઓને સીમિત ઉપયોગ માટે કોલસા ખાણોની ફાળવણી કરવામાં આવી છે તેમના કાર્યની પ્રગતિ પર નજર રાખી શકાય. આ દરમિયાન 58 ખાણોને નિશ્ચિત સમયસીમાની અંદર ખાણોનો વિકાસ ન કરવાને કારણે કારણદર્શક નોટિસ આપવામાં આવી ચૂકી છે.

આ પહેલા સરકારે આઇએમજી દ્વારા 13 ખાણોની ફાળવણી રદ કરવાની તથા 14 કોલસા ખાણોની ફાળવણી કંપનીઓની બેંક ગેરંટી ઘટાડવાની ભલામણોનો સ્વીકાર કરી લીધો હતો.

English summary
Coal gate : Government sends show cause notices to 32 companies.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X