For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાલુ ખાતાની ખાઘ ચોથા ત્રિમાસિક ગાળામાં સુધરશે : રંગરાજન

|
Google Oneindia Gujarati News

rangarajan
નવી દિલ્હી, 30 માર્ચ : વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના ચેરમેન સી રંગરાજને શુક્રવારે જણાવ્યું કે નિકાસમાં સંભવિત વધારો થવાના કારણ દેશના ચાલુ ખાતાની ખાધ(સીએડી)ની સ્થિતિમાં ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ત્રિમાસક ગાળામાં થોડો સુધારો થવાની શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે ચાલુ ખાતાની ખાધ ત્રીજા ત્રિસમાસિક ગાળા (ઓક્ટોબરથી ડિસેમ્બર 2012)માં વધીન જીડીપીના 6.7 ટકા સુધી પહોંચી ગઇ હતી. જે એક રેકોર્ડ છે. આ અંગે સરકારે કહ્યું કે તે અને રિઝર્વ બેંક દેશના ચાલુ ખાતાની ખાધને ઘટાડવા માટે જરૂરી પગલાં લેશે.

આ અંગે રંગરાજને આશા દર્શાવી છે કે ચાલુ નાણાકીય વર્ષના અંતમાં આ ખાધ પાંચ ટકાથી થોડીક વધારે રહેશે. ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં આ ખાધ અપેક્ષા કરતા ઊંચી રહી હતી. પણ મને વિશ્વાસ છે કે ચોથા ત્રિમાસિક ગાળામાં તેમાં ઘટાડો થશે. મારા અંદાજ મુજબ વર્તમાન નાણાકીય વર્ષની સરેરાશ ખાધ પાંચ ટકાથી થોડી વધારે રહેશે.

બીજી તરફ રેટિંગ એજન્સી ક્રિસિના મુખ્ય અર્થશાસ્ત્રી ડી કે જોશીએ જણાવ્યું કે ચાલુ ખાતાની વધતી જતી ખાધ રૂપિયાને નબળો બનાવી શકે છે.

English summary
Current account deficit will improve in fourth quarter : Rangrajan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X