31મી ઓગસ્ટ સુધીમાં કરી લો આ કામ, નહીં તો થઇ જશે મુશ્કેલી
જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો, તો 31 ઓગસ્ટ સુધીમાં eKYC કાર્ય પૂર્ણ કરો. સરકાર દ્વારા eKYC પૂર્ણ કરવા માટે છેલ્લી તક આપવામાં આવી રહી છે. આ ઉપરાંત 12મો હપ્તો પણ યોજના હેઠળ જવાનો છે.
જો તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો, તો 31 ઓગસ્ટ સુધીમાં eKYC કાર્ય પૂર્ણ કરો. સરકાર દ્વારા eKYC પૂર્ણ કરવા માટે છેલ્લી તક આપવામાં આવી રહી છે. આ ઉપરાંત 12મો હપ્તો પણ યોજના હેઠળ જવાનો છે. જો તમે eKYC નહીં કરો તો તમારો આગામી હપ્તો બંધ થઈ જશે.

ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે
આ અગાઉ સરકાર દ્વારા eKYC કરાવવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ હતી. જેને સરકારે ગત 31 ઓગસ્ટ સુધી લંબાવી છે. એવી અપેક્ષારાખવામાં આવે છે કે, સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં પીએમ કિસાનનો 12મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે. આ યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે.

31 ઓગસ્ટ સુધીમાં તમારું KYC પૂર્ણ કરો
જો તમારું ખાતું PNBમાં છે, તો કોઈ પણ સંજોગોમાં 31 ઓગસ્ટ સુધીમાં તમારું KYC પૂર્ણ કરો. બેંક દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે, જો KYC સમયમર્યાદામાં પૂર્ણ ન થાય તો અકાઉન્ટ હોલ્ડ પર રાખવામાં આવી શકે છે.
PNB દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાંઆવ્યું છે કે, જો કોઈ ગ્રાહકનું KYC બાકી છે તો 31 ઓગસ્ટ સુધીમાં આધાર શાખામાં જઈને આ કામ પૂર્ણ કરો.

ITR વેરિફિકેશનની અંતિમ તારીખ 31 ઓગસ્ટ
જો કોઈ કરદાતા 31 જુલાઈ પછી ITR ફાઈલ કરે છે, તો તેને વેરિફિકેશન માટે 30 દિવસનો સમય મળે છે. 31 જુલાઈ સુધીમાં રિટર્નફાઈલ કરનારાઓને વેરિફિકેશન માટે 120 દિવસનો સમય મળશે.
આવી સ્થિતિમાં, જો કોઈ કરદાતાએ 1 ઓગસ્ટના રોજ તેનું રિટર્ન ફાઈલકર્યું હોય, તો તેના વેરિફિકેશનની અંતિમ તારીખ 31 ઓગસ્ટના રોજ પૂરી થાય છે. વેરિફેકેશન વગર રિટર્ન પૂર્ણ ગણવામાં આવશે નહીં.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
