વર્ષ 2015માં ભારતીય કર્માચારીઓને 11 ટકા પગાર વધારો : ECA Int.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વર્ષ 2015માં ભારતીય કર્મચારીઓને પોતાના પગારમાં સરેરાશ માત્ર 11 ટકા પગાર વધારો જોવા મળી શકે છે. આ માટે ઊંચો ફુગાવો જવાબદાર રહેશે.
આ અંગે ઇસીએ ઇન્ટરનેશનલ રિજીઓનલ ડાયરેક્ટર એશિયા લી ક્વાને જણાવ્યું છે કે 'ભારતમાં જે પગાર વધારો થાય છે તે એશિયામાં સૌથી વધારે છે. જ્યારથી ફુગાવો ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારથી દર પગાર વધારામાં સરેરાશ 3થી 4 ગણો પગાર વધારો જ મળે છે.'
જો કે ભારતીય કર્મચારીઓ અના કરતા પણ વધારે પગાર વધારાની આશા રાખી રહ્યા છે. આ પાછળ તેઓ ફુગાવામાં ઘટાડાને ગણાવી રહ્યા છે.
ઇસીએ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેક્ષણ અનુસાર સૌથી વધારે પગાર વધારો પાકિસ્તાનમાં કરવામાં આવી શકે છે. પાકિસ્તાનમાં સરેરાશ 12 ટકા પગાર વધારો આવી શકે છે. ત્યાર બાદ વિયેતનામનો બીજો અને ભારતનો ત્રીજો ક્રમ છે.
જો કે આ ગણતરીમાં ફુગાવો પણ ધ્યાનમાં લેવામાં આવે ચો વિયેતનામ એશિયામાં સૌથી શ્રેષ્ઠ હતા. ત્યાર બાદ પાકિસ્તાન અને ચીન આવે છે.
એશિયા વિસ્તારમાં ભારત સાતમા ક્રમે પહોચી ગયું છે. જ્યારે થાઇલેન્ડ ચોથા ક્રમે, બાંગ્લાદેશ પાંચમા ક્રમે અને શ્રીલંકા છઠ્ઠા ક્રમે આવે છે.