ખાનગી કર્મચારીઓ માટે સારા સમાચાર, પેન્શનમાં વધારો થશે
સુપ્રીમ કોર્ટે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને વધુ પેન્શનનો રસ્તો સાફ કર્યો છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટમાં કેરળ હાઈકોર્ટના નિર્ણય સામે ઇપીએફઓ દ્વારા વિશેષ અરજી દાખલ કરવામાં આવી હતી
સુપ્રીમ કોર્ટે ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કર્મચારીઓને વધુ પેન્શનનો રસ્તો સાફ કર્યો છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટમાં કેરળ હાઈકોર્ટના નિર્ણય સામે ઇપીએફઓ દ્વારા વિશેષ અરજી દાખલ કરવામાં આવી હતી, જે સુપ્રીમ કોર્ટે સોમવારે રદ કરી હતી. કેરળ હાઈ કોર્ટે ઇપીએફઓને તેમના સંપૂર્ણ પગારના આધારે તમામ નિવૃત્ત કર્મચારીઓને પેન્શન આપવાનું નિર્દેશ કર્યું હતું. કોર્ટે કહ્યું હતું કે આ કર્મચારીઓના યોગદાનની મહત્તમ મર્યાદા 15,000 ની સીમાને દૂર કરો.
આ પણ વાંચો: SBI એકાઉન્ટ ધારકો માટે 1 મેથી નવી સર્વિસ શરૂ થશે, વ્યાજદરો પર સીધી અસર થશે
પગાર વધશે
જે રીતે સુપ્રીમ કોર્ટે ઇપીએફઓની અરજીને રદ કરી દીધી છે તે પછી કર્મચારીઓના પેન્શનમાં જબરદસ્ત વધારો થશે. માની લો કે જે કર્મચારી 33 વર્ષથી કોઈ કંપનીમાં કામ કરી રહ્યા હતા અને તેમનો છેલ્લો પગાર 50,000 હતો તો તેમને કોર્ટના નિર્ણય પછી 25000 પેન્શન મળશે, પરંતુ કોર્ટના નિર્ણય પહેલાં, કર્મચારીઓને માત્ર 5180 રૂપિયા જ મળતા હતા. એટલે કે કોર્ટના નિર્ણય પછી કર્મચારીઓના પગારમાં 383 ટકાનો વધારો થયો છે.
પેન્શન યોજનામાંથી સીમા દૂર
અહીં નોંધ લેવાનો મુદ્દો એ છે કે એક બાજુ કર્મચારીઓના પેન્શનમાં વધારો થશે, પીએફની રકમનો હિસ્સો ઘટશે કારણ કે વધારાના પૈસા ઇપીએસ પાસે જશે, પીએફમાં નહીં. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 1995 માં કર્મચારી પેન્શન યોજના શરૂ કરી હતી, જે હેઠળ કંપનીએ કર્મચારીના પગારમાં પેન્શન સ્કીમ હેઠળ 8.33 ટકા ફાળો આપવો પડશે. આ ફાળો મહત્તમ 6500 રૂપિયા સુધી મર્યાદિત કરવામાં આવ્યો હતો. જો માર્ચ 1996 માં સરકારે તેમાં સુધારો કરતા જો કર્મચારીઓને આપત્તિ ના હોય તો, આ પેન્શન યોજના હેઠળ યોગદાનમાં વધારો કરી શકે છે.
એક્ટમાં સુધારો
1 સપ્ટેમ્બર, 2014 ના રોજ ઇપીએફઓ એક્ટમાં સુધારો થયો હતો જેણે 8.33 ટકાની મર્યાદાને દૂર કરી હતી. આ સાથે એક બીજી સુધારણા કરવામાં આવી હતી જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે જો કર્મચારીઓ તેમના પગાર સાથે પેન્શન માટે લાયક છે તો કર્મચારીઓના કાર્યકાળના છેલ્લા પાંચ વર્ષના પગારના આધારે તેમનું પેન્શન નક્કી કરવામાં આવશે. અગાઉ એક વર્ષ પગારના આધારે નક્કી કરવામાં આવતું હતું. જેના કારણે કર્મચારીઓના પેન્શનમાં ઘટાડો થયો હતો. કેરળ હાઈકોર્ટ દ્વારા 1 સપ્ટેમ્બર 2014 ના આ સુધારાને નકારી કાઢવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2016 માં, સુપ્રીમ કોર્ટે ઇપીએફઓને પેન્શનમાં કર્મચારીઓના પગારના આધારે તેના ફાળાને સ્વીકારવાની સૂચના આપી હતી.