PNB ની નવી સુવિધા, બેંક એકાઉન્ટ ખોલાવ્યા વિના બનાવડાવો તમારું ATM કાર્ડ
પંજાબ નેશનલ બેંક (PNB) બેંકે નવી સુવિધા શરુ કરી છે, જેના હેઠળ તમે બેંક એકાઉન્ટ ખોલાવ્યા વિના જ ATM કાર્ડ બનાવી શકો છો.
પંજાબ નેશનલ બેંક (PNB) બેંકે નવી સુવિધા શરુ કરી છે, જેના હેઠળ તમે બેંક એકાઉન્ટ ખોલાવ્યા વિના જ ATM કાર્ડ બનાવી શકો છો. આ સરકારી બેંકમાં તમે તમારું એકાઉન્ટ ખોલ્યા વગર તમારું ATM કાર્ડ બનાવી શકો છો. પંજાબ નેશનલ બેંક હવે કોઈ એકાઉન્ટ વિના ATM કાર્ડ બનાવવાની સુવિધા ઓફર કરી રહ્યું છે. તમે આ પ્રિપેઇડ કાર્ડ (Prepaid Card) નો ઉપયોગ તેને રિચાર્જ કરાવીને કરી શકો છો. ચાલો જાણીએ કે આ કાર્ડ કેવી રીતે બનાવડાવી શકાય છે, તેનો ઉપયોગ કેવી રીતે કરવો.
આ પણ વાંચો: બદલાઈ જશે 93 વર્ષ જૂની આ બેન્ક, ખાતાધારકો પર સીધી અસર પડશે
પંજાબ નેશનલ બેંકની નવી સુવિધા
પંજાબ નેશનલ બેંકની નવી સુવિધા શરૂ થઈ છે. આ નવી સેવામાં તમે બેંક એકાઉન્ટ ખોલ્યા વગર સુવિધા કાર્ડ (PNB Suvidha Card) લઈ શકો છો. તમે તમારી સુવિધા અનુસાર આ સુવિધા કાર્ડનો ઉપયોગ કરી શકશો. તમારે આ માટે પ્રિપેઇડ કાર્ડને રિચાર્જ કરાવવું પડશે. તમે જેટલાનું રિચાર્જ કરાવવા માંગતા હો તેટલાનું રિચાર્જ કરાવી શકો છો. તમને જણાવી દઈએ કે PNB નું સુવિધા કાર્ડ એક પ્રકારનું ATM છે, પરંતુ તેના માટે તમારે પહેલાથી રિચાર્જ કરાવવું પડશે. તમારી ઇચ્છા પ્રમાણે રીચાર્જ કરાવી શકાય છે.
કેવી રીતે ઉપયોગ કરી શકાય
તમારે પહેલાથી જ PNB સુવિધા કાર્ડ રિચાર્જ કરાવવું પડશે. આ માટે તમારે ઓછામાં ઓછા 500 રૂપિયાથી લઈને મહત્તમ 50,000 રૂપિયા સુધીનુ રિચાર્જ કરાવી શકો છો. આ કાર્ડની માન્યતા 3 વર્ષની હશે. તમારે આ પ્રિપેઇડ કાર્ડ બનાવવા માટે PNB માં એકાઉન્ટ રાખવાની જરૂર નથી, પરંતુ તમારે કેવાયસી (KYC) કરાવવું પડશે. કેવાયસી પછી બેંક જરૂરી પેપરવર્ક કર્યા પછી તમને સુવિધા કાર્ડ આપશે.
ક્યાં ઉપયોગ કરી શકાય
તમે આ સુવિધા કાર્ડનો ATM કાર્ડ તરીકે ઉપયોગ કરી શકો છો. તમે તેને ખરીદી માટે ઉપયોગ કરી શકો છો. તમે સુવિધા પ્રી-પેઇડ કાર્ડને સ્વેપ મશીનમાં સ્વેપ કરીને ખરીદી કરી શકો છો. તેનો ઉપયોગ ઑનલાઇન શોપિંગમાં થશે.