બદલાઈ જશે 93 વર્ષ જૂની આ બેન્ક, ખાતાધારકો પર સીધી અસર પડશે
બેંકિંગ ક્ષેત્રમાં અન્ય એક પછી એક વિલીનીકરણ થઇ રહ્યું છે. અગાઉ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) માં 6 બેંકોનું મર્જર થયું હતું.
બેંકિંગ ક્ષેત્રમાં અન્ય એક પછી એક વિલીનીકરણ થઇ રહ્યું છે. અગાઉ દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) માં 6 બેંકોનું મર્જર થયું હતું. તે પછી બેન્ક ઑફ બરોડા (Bank Of Baroda) માં વિજયા બેંક (Vijaya Bank) અને દેના બેન્ક (Dena Bank) નું મર્જર થયું અને બેન્ક ઓફ બરોડા દેશની ત્રીજી સૌથી મોટી બેન્ક બની ગઈ. હવે તમિલનાડુની 93 વર્ષ જૂની લક્ષ્મી વિલાસ બેંકનું મર્જર થવા જઈ રહ્યું છે. માહિતી અનુસાર લક્ષ્મી વિલાસ બેન્કનું જોડાણ મુંબઈની હાઉસિંગ ફાઇનાન્સ કંપની ઈન્ડિયાબુલ્સ (IndiaBulls) માં થવા જઈ રહ્યું છે.
આ પણ વાંચો: તમારું પણ SBI માં ખાતું છે, તો આ સમાચાર જરૂર વાંચો, નિયમો બદલાયા છે

93 વર્ષ જૂની આ બેન્કનું મર્જર
તમિલનાડુની બેન્ક લક્ષ્મી વિલાસ બેન્કનું ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સમાં મર્જર થશે. આ જોડાણથી ન માત્ર લક્ષ્મી વિલાસ બેન્કના ખાતાધારકોને લાભ થશે, પરંતુ આ નિર્ણયથી ઇન્ડિયાબુલના ગ્રાહકોને પણ અસર થશે. તે ગ્રાહકો અને રોકાણકારો પર સીધી અસર કરશે. આ જોડાણથી ગ્રાહકોને ફાયદો થશે. લક્ષ્મી વિલાસ બેન્કના બોર્ડએ ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ સાથે મર્જર મંજૂર કર્યું છે. આ મર્જરની શરતો અનુસાર, લક્ષ્મી વિલાસ બેંકના 100 શેરને બદલે ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સના 14 શેર મળશે.

આ મર્જરથી ફાયદો શું થશે
જો લક્ષ્મી વિલાસ બેન્ક ઇન્ડિયાબુલ્સ સાથે મર્જ થઈ જાય, તો લક્ષ્મી વિલાસ બેન્કના ગ્રાહકોને સરળતાથી લોન મળશે. આ બેન્કની 569 શાખાઓ, 1046 એટીએમ, 3600 કર્મચારીઓ છે. મર્જર પછી તેઓ ઇન્ડિયાબુલનો ભાગ બની જશે. આ જોડાણથી બેન્ક શાખાઓ અને એટીએમની સંખ્યામાં વધારો થશે. આ માત્ર એટલું જ નહીં બેન્કના વ્યાજદર અને ઇન્ડિયનબુલ્સના વ્યાજદરમાં પણ તફાવત છે, તેથી એવી ધારણા છે કે નવા ગ્રાહકો માટે વ્યાજદર અલગ હોઈ શકે છે.

વધશે એકાઉન્ટ ધારકોનું કામ
વિલીનીકરણ પછી ખાતાધારકના ખાતામાં થાપણો સંપૂર્ણપણે સલામત રહેશે, પરંતુ મર્જર પછી તેમનું પેપરવર્ક થોડું વધશે. તેઓએ એક વાર ફરીથી કેવાયસી (KYC) કરાવવું પડી શકે છે. તેઓએ તેમના એટીએમ, પાસબુક, ચેક બુકને બદલાવું પડશે. આ જોડાણ સાથે લક્ષ્મી વિલાસ બેંકની બેલેન્સશીટમાં સુધારો થશે. બેંકના સીએઆરમાં સુધારો થશે. આ જોડાણથી દક્ષિણ ભારતમાં પકડ બનાવવા માટે ઇન્ડિયાબુલ્સને મદદ મળશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
