IND vs ENG : ત્રીજી ટેસ્ટ પહેલા ઈન્ડિયાને મોટો ઝટકો, કોહલી બાદ આ મેચ વિનર ખેલાડી બહાર
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીએ રાજકોટાં રમાવા જઈ રહી છે. આ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે.
અહેવાલો અનુસાર, રાજકોટ ટેસ્ટમાં સ્ટાર વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલ ભારતીય ટીમનો ભાગ નહીં હોય. BCCIએ છેલ્લી ત્રણ ટેસ્ટ માટે ભારતીય ટીમની જાહેરાત કરી તેમાં રવિન્દ્ર જાડેજા સાથે KL રાહુલનો પણ સમાવેશ કરાયો છે.

આ વખતે એક શરત પણ મૂકવામાં આવી હતી કે તે સંપૂર્ણ રીતે ફિટ હશે તો જ રમશે. હવે જાણવા મળ્યું છે કે રાહુલ તેની સ્નાયુની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજો થયો નથી. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં તેણે શાનદાર બેટિંગ કરી હતી, પરંતુ તે ટીમને હારથી બચાવી શક્યો નહીં.
તે પ્રથમ ટેસ્ટ દરમિયાન જ ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે તે બીજી મેચમાં રમી શક્યો નથી. વિરાટ કોહલી પણ અંગત કારણોસર આખી ટેસ્ટ શ્રેણીમાં ઉપલબ્ધ નથી. હાલમાં પાંચ મેચની શ્રેણી 1-1થી બરાબર છે.
મોટાભાગના ભારતીય ખેલાડીઓ 12 ફેબ્રુઆરીએ રાજકોટ પહોંચ્યા છે અને ટ્રેનિંગ શરૂ કરી દીધી છે. સૂત્રો અનુસાર, કેએલ રાહુલ ફિટનેસ ટેસ્ટ પાસ કરી શક્યો નથી અને બીસીસીઆઈની મેડિકલ ટીમે પસંદગીકારોને કહ્યું છે કે રાહુલને ઓછામાં ઓછા એક સપ્તાહ સુધી ઓબ્ઝર્વેશનમાં રહેવું પડશે, ત્યાર બાદ જ તેના રમવા અંગે નિર્ણય લઈ શકાશે.
છેલ્લી ત્રણ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), કેએસ ભરત (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા (ફિટનેસ ટેસ્ટ પાસ થવા પર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
