ગુજરાતમાં જીઆઇ ટેગ મેળવનારી જામનગરની બાંધણી નવમી પ્રોડક્ટ
અમદાવાદ, 9 ડિસેમ્બર : ગુજરાત તેની પરંપરાગત ઓળખોને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ (જીઆઇ ટેગ) આપવાની દિશમાં સતત પ્રયાસ કરી રહ્યું છે. તાજેતરમાં ગુજરાતની નવમી પ્રોડક્ટને જીઆઇ ટેગ મળ્યું છે.
આ જીઆઇ ટેગ જામનગરની ઓળખ સમાન વિખ્યાત 'જામનગર બાંધણી'ને મળી છે. આ પ્રોડક્ટને જીઆઇ પેટન્ટ મળી છે. જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે કરેલી જીઆઇ પેટન્ટ માટેની અરજીને પેટન્ટ ઓફિસે મંજૂર કરી છે. આમ સંખેડા ફર્નિચર, ગીર કેસર કેરી, પાટણના પટોળા બાદ જીઆઇ પેટન્ટ મેળવનાર આ ગુજરાતની નવમી પેટન્ટ છે.

આ અંગે જામનગર ચેમ્બર ઓફ કોમર્સના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડન્ટ શ્રેણિક મહેતાએ જણાવ્યું કે 'વર્ષ 2008માં અમે બાંધણીની જીઆઇ પેટન્ટ માટે અરજી કરી હતી, પરંતુ તે વખતે અમે ગુજરાત બાંધણી તરીકે અરજી કરી હતી, જે મંજૂર રહી ન હતી કારણ કે અમે જામનગરની વિશેષતાને સમગ્ર રાજ્યની વિશેષતા ન બતાવી શકીએ જેથી જામનગર બાંધણી (ટાઇડ એન્ડ ડાય) તરીકે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે ફરી અરજી કરી હતી, જેને કાપડ મંત્રાલય અંતર્ગત આવતી પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક કચેરીએ મંજૂરી આપી છે. જામનગરની બાંધણીને જીઆઇ પેટન્ટ મળતા આ વિસ્તારની બાંધણીનું જામનગર બાંધણી તરીકે બ્રાન્ડિંગ કરી શકાશે.'
આ મંજૂરીને પગલે હવે રાજકોટ કે ભૂજ જેવા અન્ય વિસ્તારમાંથી કોઈ બાંધણી વેચનાર જામનગર બાંધણી તરીકે તેમની પ્રોડક્ટ વેચી નહીં શકે અને જામનગર બાંધણી તેની ઓળખ વધુ મજબૂત બનાવશે, જેના પગલે ઉદ્યોગો અને 40,000 જેટલા કારીગરોને ફાયદો થશે.
અત્યાર સુધીમાં ગુજરાતને કુલ નવ જ જીઆઇ પેટન્ટ મળી છે. જેમાં વર્ષ 2008-09માં સંખેડા ફર્નિચર, ખંભાતના અકીક અને કચ્છ એમ્બ્રોડરી નામની ત્રણ જીઆઇ પેટન્ટ મળી હતી. 2009-10માં તંગલિયા શાલને હેન્ડીક્રાફ્ટ કેટગરીમાં, વર્ષ 2010-11માં સુરત જરી ક્રાફટ, વર્ષ 2011-12માં ગીર કેસર કેરી, ભાલિયા ઘઉં, વર્ષ 2012-13માં કચ્છી શાલ અને હવે વર્ષ 2014-15માં જામનગર બાંધણીને જીઆઇ પેટન્ટ મળી છે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા




Click it and Unblock the Notifications
