ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું વિલીનીકરણ
ટેક મહિન્દ્રાના કાર્યકારી ઉપાધ્યક્ષ વિનિત નાયરે આ બાબતની જાહેરાત કરતા જણાવ્યું કે બંને કંપનીના અધિકારીઓની ટીમોએ છેલ્લા 4 વર્ષથી આ માટે પ્રયાસો કર્યા છે અને આ બાબત માટે આધાર તૈયાર કર્યો છે. આ વિલીનીકરણમાં અમારા શેર હોલ્ડર્સના હિતોનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે.
ટેક મહિન્દ્રા અને મહિન્દ્રા સત્યમના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે 21 માર્ચ, 2013ના રોજ આ વિલીનીકરણને મંજૂરી આપી દીધી હતી. મુંબઇ હાઇકોર્ટમાંથી આ માટેની મંજૂરી મળ્યા બાદ, આ વિલીનીકરણને આંધ્ર પ્રદેશની હાઇકોર્ટ તરફથી મંજૂરી મળવાનો ઇન્તેજાર હતો. આંધ્ર હાઇકોર્ટે આ માટે 11 જૂને મંજૂરી આપી દીધી હતી.
આ વિલીનીકરણની જાહેરાત કરતા સમયે નાયરે એમ પણ જણાવ્યું કે મિલિંદ કુલકર્ણી આ જોઇન્ટ વેન્ચરના મુખ્ય નાણાકીય અધિકારી હશે. ટેક મહિન્દ્રાના જનરલ મેનેજરસી પી ગુરનાનીએ જણાવ્યું કે અમે ટેલિકોમ અને વિનિર્માંણ ક્ષેત્રે ધ્યાન રાખીશું. મુંબઇમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીમાં 84,000 કર્મચારીઓ હશે. જેઓ 46 દેશોમાં પોતાના 540 ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડશે. કંપનીની વાર્ષિક આવક 2.7 અબજ ડોલર છે.