આજથી મધર ડેરીએ દૂધના ભાવમાં કર્યો 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો
દેશની મોટી દૂધ કંપની મધર ડેરીએ દૂધના ભાવમાં આજથી વધારો કર્યો છે. આજથી દિલ્લી-એનસીઆરમાં ગાયના દૂધની કિંમત બે રૂપિયા વધારી દેવામાં આવી છે.
દેશની મોટી દૂધ કંપની મધર ડેરીએ દૂધના ભાવમાં આજથી વધારો કર્યો છે. આજથી દિલ્લી-એનસીઆરમાં ગાયના દૂધની કિંમત બે રૂપિયા વધારી દેવામાં આવી છે. કંપનીના નવા ભાવ લાગુ થયા બાદ ગાયના દૂધની કિંમત 44 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. કંપની તરફથી કહેવામાં આવ્યુ છે કે તે ખેડૂતોને કાચુ દૂધ ખરીદવા માટે વધુ પૈસા ચૂકવી રહી છે જેના કારણે તેમને ગાયના દૂધની કિંમતો વધારવા માટે મજબૂર થવુ પડ્યુ છે.

જો કે મધર ડેરી કંપનીએ અન્ય દૂધની કિંમતોમાં વધારો કર્યો નથી. મધર ડેરીના પ્રવકતા તરફથી કહેવામાં આવ્યુ છે કે છેલ્લા બે મહિનામાં ગાયના કાચા દૂધની ખરીદીમાં તેને વધુ ચૂકવણી કરવી પડી છે. દૂધના નવા ભાવ આજથી લાગુ થઈ ગયા છે ત્યારબાદ અડધા લિટર દૂધના પેકેટની કિંમત 23 રૂપિયા છે જ્યારે એક લિટર દૂધના પેકેટની કિંમત 44 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે મધર ડેરી દિલ્લી-એનસીઆરમાં 30 લાખ લિટર દૂધ પૂરુ પાડે છે જેમાં આઠ લાખ લિટર ગાયનુ દૂધ હોય છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા કંપનીએ 24 મેના રોજ દૂધની કિંમતોમાં વધારો કર્યો હતો. કંપનીએ તે વખતે પણ બે રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. કંપની તરફથી કહેવામાં આવ્યુ હતુ કે ખેડૂત પાસેથી કાચુ દૂધ વધુ ભાવે મળી રહ્યુ છે જેના કારણે તેને કિંમતો વધારવી પડી છે.
આ પણ વાંચોઃ
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
