Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઇનકમ ટેક્સ રિફંડ મેળવવા માટે પાન કાર્ડને બેંક એકાઉન્ટ સાથે લિંક કરો

જો તમે પણ Tex Refunds ઇચ્છો છો, તો પછી જાણો કે ઇનકમ ટેક્સ વિભાગ (I-T Department) તેની ચુકવણી ફક્ત ઇલેક્ટ્રોનિક રીતે તમારા બેંક ખાતામાં જ કરશે.

જો તમે પણ Tex Refunds ઇચ્છો છો, તો પછી જાણો કે ઇનકમ ટેક્સ વિભાગ (I-T Department) તેની ચુકવણી ફક્ત ઇલેક્ટ્રોનિક રીતે તમારા બેંક ખાતામાં જ કરશે. એટલે કે, ટેક્સપેયર્સના બેંક એકાઉન્ટમાં ફક્ત ઇ-મોડ (e-mode) દ્વારા રિફંડ કરવામાં આવશે. તે માટે જરૂરી છે કે તમારું બેંક એકાઉન્ટ PAN નંબર સાથે જોડાયેલું હોય. આ નવો નિયમ 1 માર્ચ 2019 થી લાગુ થઇ જશે.

1 માર્ચ 2019 થી કર વિભાગ (tax department) દ્વારા બહાર પાડેલી સલાહ મુજબ, આઇ-ટી વિભાગ ફક્ત ઇ-મોડ (e-mode) દ્વારા રિફંડ જારી કરશે. ટેક્સ રિફંડ (tax payers) મેળવવા માટે, ટેક્સપેયર્સને તેમના બેંક એકાઉન્ટ (bank account)ને PAN સાથે લિંક કરવું પડશે.

આ પણ વાંચો: જાણો આઈટીઆર ફાઈલ નહીં કરવાનું નુકશાન, પાછળથી પસ્તાવો થશે

જો તમારું પાન કાર્ડ તમારા બેંક એકાઉન્ટ સાથે જોડાયેલું નથી, તો તમારે ઇનકમ ટેક્સ રિફંડ મેળવવા માટે તમારી બેંક શાખાને જલ્દી મહત્વપૂર્ણ વિગતો આપવી પડશે. તેમાં કહેવામાં આવ્યું છે કે બેંક એકાઉન્ટ બચત (bank account savings), કરંટ, રોકડ અથવા ઓવરડ્રાફટ એકાઉન્ટ (cash/ overdraft account) હોઈ શકે છે.

બેન્ક એકાઉન્ટ પાન કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે

બેન્ક એકાઉન્ટ પાન કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે

સલાહકાર અનુસાર, ટેક્સપેયર્સ માટે તેમનું બેન્ક એકાઉન્ટ પાન કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. જેનાથી તેમને ટેક્સ રિફંડ સીધું બેન્ક એકાઉન્ટમાં મળી જશે જે સુરક્ષિત છે. હાલમાં, ઇનકમ ટેક્સ વિભાગ ટેક્સપેયર્સને રિફંડ તેમના બેન્ક એકાઉન્ટ અથવા એકાઉન્ટ પે ચેક દ્વારા કરે છે.

બેંક એકાઉન્ટમાં PAN લિંક છે કે નહીં તે આ રીતે ચેક કરો

બેંક એકાઉન્ટમાં PAN લિંક છે કે નહીં તે આ રીતે ચેક કરો

સલાહકાર અનુસાર, ટેક્સપેયર્સ તપાસ કરી શકે છે કે તેમના બેંક એકાઉન્ટમાં PAN લિંક છે કે નહીં. આના માટે, ઇનકમ ટેક્સની વેબસાઇટ ઇ-ફાઇલિંગ વેબસાઇટ https://www.incometaxindiaefiling.gov.in પર જઈને તમે ચેક કરી શકો છો. જો લિંક નથી, તો એકાઉન્ટ-પાન લિંક કરી શકો છો.

31 માર્ચ સુધીમાં પાન કાર્ડથી સંબંધિત કામ કરાવવું અનિવાર્ય

31 માર્ચ સુધીમાં પાન કાર્ડથી સંબંધિત કામ કરાવવું અનિવાર્ય

તાજેતરમાં આવકવેરા રીટર્ન (આઇટીઆર) દાખલ કરવા માટે આધાર-પાન જોડાણ જરૂરી બન્યું હતું. આ મહિનાની શરૂઆતથી આંકડા અનુસાર, આવકવેરા વિભાગે અત્યાર સુધીમાં 42 કરોડ પાન જારી કર્યા છે. આમાંથી, 23 કરોડ આધારથી લિંક છે.

તેથી, તમને જણાવી દઈએ કે જો તમે આ વર્ષે 31 માર્ચ સુધી તમારા પાન કાર્ડ સંબંધિત કાર્ય ન કર્યું તો તમારું કાર્ડ ચાલશે નહીં. 31 માર્ચ પછી પાન કાર્ડ નકામું થઇ જશે અને તમે આવકવેરાના વળતર, રોકાણો અથવા લોન વગેરેથી સંબંધિત કોઈ પણ કાર્ય કરી શકશો નહીં. કેન્દ્ર સરકારે 31 માર્ચ સુધીમાં પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું ફરજીયાત કર્યું છે. પાનને આધાર સાથે લિંક કરવા માટે તમારી પાસે લગભગ 1 મહિનાનો સમય બાકી છે.

કેન્દ્ર સરકારે મની લોન્ડ્રિંગ (પીએમએલએ) કાયદા હેઠળ આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ, પાન કાર્ડને લિંક કરાવવું જરૂરી છે. જે લોકો આ નહિ કરે, તેમના પાન કાર્ડને અમાન્ય જાહેર કરવામાં આવશે. જો કે, જે લોકોએ તેમના આધાર કાર્ડ અને પાન કાર્ડને પહેલેથી લિંક કરાવી લીધું છે, તેઓએ કોઈ પણ વાતની ચિંતા કરવાની જરૂર નથી.

ઘરે બેઠા સરળતાથી થશે લિંક

ઘરે બેઠા સરળતાથી થશે લિંક

પ્રથમ આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ. ડાબી બાજુ 'લિંક આધાર' વિકલ્પ પર ક્લિક કરો. જો તમારું એકાઉન્ટ બનાવ્યું ન હોય તો પ્રથમ નોંધણી કરો. લૉગિન પછી, ઓપન પેજ પર પ્રોફાઇલ સેટિંગ્સ પસંદ કરો. હવે આધાર કાર્ડ લિંકનો વિકલ્પ પસંદ કરો. તમારા આધાર કાર્ડની માહિતી અને કેપ્ચા કોડ અહીં ભરો. પછી નીચે લિંક આધાર પર ક્લિક કરો. એસએમએસ સેવાનો ઉપયોગ કરવા માટે 567678 અથવા 56161 પર મેસેજ મોકલીને પાન કાર્ડ સાથે આધારને લિંક કરી શકાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X