For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોકિયાએ આપી ભારત છોડવાની ધમકી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 ઑગસ્ટઃ નબળો પડતો રૂપિયો અને વધતી મોંઘવારી વચ્ચે નોકિયાએ ભારત છોડવાની ચેતવણી આપી છે. ફિનલેન્ડની દિગ્ગજ મોબાઇલ કંપનીએ સરકારને કહ્યું છે કે ભારત ઓછામાં ઓછા અનુકુળ બજારમાં ફરેવાઇ ગયું છે અને હવે અહીંથી વિદાય લેવી જ યોગ્ય છે.

અંગ્રેજી સમાચારપત્ર ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલ અનુસાર 19 જૂને લખેલા પત્રમાં નોકિયાએ કહ્યું કે, ચીનમાં ઉત્પાદન કરવું અને પછી માલને ભારતમાં આયાત કરવો આ સારો વિચાર છે. કંપનીએ ચેતવ્યા છે કે ભારતમાં કામ કરવું એક રાજકિય ખતરો છે. જેની અસર ભવિષ્યના રોકાણ પર પડી શકે છે. મોબાઇલ કંપનીએ સરકારને કહ્યું કે તે જેટલું જલદી બને ભારતીય બજારમાં છબી સુધારવાની દિશામાં કામ શરૂ કરે.

નવા ઇન્કમ ટેક્સ વિવાદો અને વેટના રિફન્ડમાં મોડું થવાના કારણે નોકિયાએ આ ધમકી આપી છે. હાલની આર્થિક સ્થિતિમાં જ્યારે એફડીઆઇની હાલત કફોળી છે અને સંસ્થાગત નિવેશક પોતાના હાથ પાછા ખેંચી રહ્યાં છે, ભારત સરકાર માટે આ જોરદાર ફટકો સાબિત થઇ શકે છે.

nokia
અત્યંત આકરા શબ્દોમાં લખવામાં આવેલો પત્ર કાગળ પર મોકલવામાં આવ્યો નથી. નોકિયાએ એક સંક્ષિપ્ત સંદેશ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયને મોકલ્યો. થોડાક રાહતના સમાચાર એ છે કે ટેક્નિકલી રીતે જ્યાં સુધી કોઇ પત્ર કાગળ પર મોકલવામાં ના આવે ત્યાં સુધી તેને અધિકૃત માનવામાં આવતો નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, તમિળનાડુ સરકાર તરથી વેટ રિફન્ડ નહીં થતાં નોકિયાને માલ ચીનમાં મોકલવામાં અને ભારતમાં આયાત કરવાનું ઘણું મોંઘુ પડી રહ્યું છે. એમઓયુ હેઠળ ઘરેલું બજારમાં વેચાયેલા ફોન પર નોકિયા જે વેટ ચૂકવે છે, તેના ચાર ટકા તમિળનાડુ સરકારે પરત કરવાના હોય છે, નોકિયાએ પોતાના પત્રમાં લખ્યું છે કે, રાજ્યએ એમઓયુ અનુસાર કામ કર્યું નથી.
English summary
Finnish telecom giant Nokia has told India's government that the country is now its "least favourable market" to operate in and it makes better sense to export its products from China, a report said Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X