પેટ્રોલ, ગેસના ભાવમાં ઘટાડો, અમૂલમાં 2 રૂપિયાનો વધારો

આમ તો સામાન્ય પ્રજાએ ગત દિવસોમાં મોંઘવારીની એટલી માર સહન કરી લીધી છે જેના કારણે હવે ચીજોના ભાવમાં વધારો-ઘટાડો ઘાસ મહત્વ ધરાવતો નથી. સામાન્ય જનતા આને સરકારનો લોલીપોપ ગણાવે છે.
બેંગ્લોર આઇટી કંપની કામ કરનાર મહેશ સક્સેનાએ વનઇન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પાંચ મેના રોજ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. જેના કારણે સરકાર ભાવમાં ઘટાડો કરી રહી છે. સરકાર લોકોનું દિલ જીતવા માટે આ બધુ કરી રહી છે પરંતુ આની જનતા પર કોઇ અસર વર્તાશે નહી. પ્રજા સમજી ગઇ છે કે આ તો ફક્ત ચાર દિવસની ચાંદની છે. ચૂંટણી પુરી થતાં જ ચીજોના ભાવ વધી જશે.












Click it and Unblock the Notifications
