NSEL સ્કેમ : દોષિત કંપનીઓના બે અધિકારીઓની ધરપકડ
મુંબઇ, 22 ઓક્ટોબર : આજે મુંબઇ પોલીસે એનએસઇએલ (NSEL) કૌભાંડના કેસમાં વિવિધ ડિફોલ્ટિંગ કંપનીઓના ટોચના બે અધિકારીઓની ધરપકડ કરી હતી.
આ કંપનીઓએ એનએસઇએલને અંદાજે રૂપિયા 1000 કરોડને ચૂકવવાના થાય છે. આ ધરપકડના સંદર્ભમાં મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે એનએસઇએલ કેસમાં યાધુરી એસોસિયેટ્સના ડિરેક્ટર ગગન સુરીની ચંદીગઢમાં, જ્યારે પી ડી એગ્રો પ્રોસેસર્સના પ્રમોટર રાજીવ અગ્રવાલની કર્નાલ (હરિયાણા)માંથી ધરપકડ કરવામાં આવી છે.

આ બંને અધિકારીઓ સમન્સ હોવા છતાં હાજર થતા ન હતા. બંને અધિકારીઓને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સુરીની કંપનીએ રૂપિયા 424 કરોડ ચૂકવવાના બાકી છે, જ્યારે અગ્રવાલની કંપનીએ રૂપિયા 644 કરોડનો ડિફોલ્ટ કર્યો છે.
આ બંને કંપનીઓની મિલકતોને અગાઉ જપ્ત કરવામાં આવેલી છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ એનએસઇએલના રૂપિયા 5,600 કરોડના કૌભાંડમાં અત્યાર સુધી આશરે રૂપિયા 6,000 કરોડની મિલકતો જપ્ત કરી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
