ગુજરાતની બે સહકારી બેન્કોના મર્જરને RBIની મંજૂરી, આજથી અમલ
ગુજરાતના સહકારી બેન્કિંગ સેક્ટરમાં એક મોટું પગલું લેવામાં આવ્યું છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ રાજ્યની બે સહકારી બેન્કોના સ્વૈચ્છિક વિલીનીકરણ (Amalgamation) ને મંજૂરી આપી દીધી છે.
આ મહત્ત્વપૂર્ણ નિર્ણય ૧૫ ડિસેમ્બર ૨૦૨૫ સોમવારથી અમલમાં આવ્યો છે. આ વિલીનીકરણનો હેતુ રાજ્યમાં બેન્કિંગ કામગીરીને વધુ મજબૂત બનાવવાનો અને ગ્રાહકોને ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવાનો છે.

પ્રથમ વિલીનીકરણમાં આમોદ નાગરિક સહકારી બેન્ક લિ.આમોદનું વિલીનીકરણ ભુજ મર્કન્ટાઇલ સહકારી બેન્ક લિ., અમદાવાદ સાથે કરવામાં આવ્યું છે. આ જોડાણ બાદ, આમોદ નાગરિક સહકારી બેન્કની તમામ શાખાઓ હવેથી ભુજ મર્કન્ટાઇલ સહકારી બેન્કની શાખાઓ તરીકે કાર્યરત થશે.
અલગથી બીજા કિસ્સામાં અમરનાથ સહકારી બેન્ક લિ., અમદાવાદ, નું મર્જર કાલુપુર કોમર્શિયલ સહકારી બેન્ક લિ., અમદાવાદ સાથે કરવામાં આવ્યું છે. આ મર્જરના અમલ પછી અમરનાથ સહકારી બેન્કની તમામ શાખાઓ કાલુપુર કોમર્શિયલ સહકારી બેન્કના બેનર હેઠળ કામગીરી કરશે.
આરબીઆઈએ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯ ની કલમ ૪૪A ના પેટા-કલમ (૪) અને કલમ ૫૬ હેઠળ મળેલ સત્તાઓનો ઉપયોગ કરીને આ બંને વિલીનીકરણ યોજનાઓને મંજૂરી આપી છે, જેનો તત્કાળ અમલ કરવામાં આવ્યો છે. આ જોડાણથી સહકારી બેન્ક ગ્રાહકોને વધુ સારી અને સુદૃઢ બેન્કિંગ સેવાઓ મળશે.












Click it and Unblock the Notifications
