આગામી નાણાકીય વર્ષમાં GDP ગ્રોથ રેટ 6% રહેવાનુ અનુમાનઃ RBI ગવર્નર
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ની બોર્ડ બેઠક બાદ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે આવનારા દિવસોમાં રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે.
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ની બોર્ડ બેઠક બાદ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે આવનારા દિવસોમાં રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે. આનો વધુમાં વધુ લાભ લોન લેતા લોકોને થઈ શકે છે. આ ઉપરાંત ગવર્નરે આગામી નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ રેટ 6% રહેવાનુ અનુમાન લગાવ્યુ છે. તેમણે કહ્યુ, ચાલુ નાણાકીય વર્ષની આર્થિક સમીક્ષાના આધારે અમે આ અનુમાન લગાવ્યુ છે જે આર્થિક સર્વેક્ષણ પ્રક્ષેપણને અનુરુપ છે.
ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં મોદી સરકારના બીજા કાર્યકાળનુ સામાન્ય બજેટ 2020-21 રજૂ કર્યુ. બજેટ રજૂ થયા બાદ પહેલી વાર નાણામંત્રી નિર્મલા સીતારમણે આરબીઆઈ સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયેક્ટર્સ સાથે બેઠક કરી. મીટિંગ ખતમ થયા બાદ ગવર્નર શક્તિકાંત દાસે મીડિયા સાથે વાત કરી અને આવનારા દિવસોમાં અર્થવ્યવસ્થાં સુધારો થવાની વાત કહી.
RBI Governor Shaktikanta Das: We have given growth projection of 6% for the next year, which is in line with Economic Survey projection pic.twitter.com/9SGmDYeRP7
— ANI (@ANI) February 15, 2020
તેમણે કહ્યુ કે રેપો રેટમાં ઘટાડાનો લાભ સામાન્ય લોકોને આપવાની પ્રક્રિયા ધીમી ગતિથી આગળ વધી રહી છે પરંતુ આ વધુ સમય સુધી નહિ રહે. શક્તિકાંત દાસે દાવો કર્યો છે કે આવનારા સમયમાં રેપો રેટમાં ઘટાડામાં ગતિ આવશે અને આની સીધો લાભ લોન લેતા લોકોને થશે કારણકે હાલમાં અમુક દિવસોમાં લોનમાં વધારાનો માહોલ જોવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ઑસ્કર જીતનારી ફિલ્મ 'પેરાસાઈટ'ના મેકર્સ પર કેસ કરશે ભારતીય પ્રોડ્યુસર, કૉપી કરવાનો આરોપ