For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ વ્યાજદરોમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

ભારતીય રિઝર્વ બેંક આજે તેની નાણાકીય નીતિ જાહેર કરવા જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતીય રિઝર્વ બેંકે આજે તેની નાણાકીય નીતિ જાહેર કરી છે. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફરન્સમાં નવી નાણાકીય નીતિની જાહેરાત કરી હતી. RBI ગવર્નરે વ્યાજ દરમાં 50 બેસિસ પોઈન્ટ વધારાની જાહેરાત કરી હતી. RBIએ વધતા મોંઘવારી દરને અંકુશમાં લેવા માટે આ મોટો નિર્ણય લીધો છે. બુધવારે રિઝર્વ બેંકની મોનેટરી કમિટીની બેઠક શરૂ થઈ હતી. રિઝર્વ બેંકે પણ મે અને જૂન મહિનામાં વ્યાજદરમાં વધારો કર્યો છે. આરબીઆઈએ બંને વખત કુલ 90 બેસિસ પોઈન્ટનો વધારો કરી ચૂક્યો છે. આજની જાહેરાત પહેલા રેપો રેટ 4.90 ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા હતો. તમને જણાવી દઈએ કે રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ બેંકોને ટૂંકા ગાળા માટે ધિરાણ આપે છે જ્યારે રિવર્સ રેપો રેટમાં આરબીઆઈ ટૂંકા ગાળા માટે ઉધાર લે છે.

rbi

RBI ગવર્નરે કહ્યુ કે બેંકોની ક્રેડિટ ગ્રોથ વાર્ષિક 14 ટકા વધી છે. ભારતીય બેંકો પાસે પૂરતી તરલતા છે. જૂન 2022માં ફુગાવાનો દર 6 ટકા હતો. વૈશ્વિક મોંઘવારી ચિંતાનો વિષય છે. પુરવઠામાં વધારાને કારણે ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. એટલુ જ નહિ તેમણે કહ્યુ કે આગામી દિવસોમાં ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થશે. આગામી વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ફુગાવો 5 ટકા રહેવાની શક્યતા છે. ગવર્નરે કહ્યુ કે કન્ઝ્યુમર પ્રાઈજ ઈન્ડેક્સ ફુગાવાનો દર થોડો વધુ રહી શકે છે, તે 6 ટકાથી ઉપર રહી શકે છે. નાણાકીય વર્ષ 2023માં ફુગાવો 6.7 ટકા રહેવાની ધારણા છે.

વળી, આરબીઆઈએ માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીમાં પણ 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે. આ વધારા પછી MSF 5.15 ટકાથી વધીને 5.65 ટકા થયો છે. સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાના એમડી અશ્વિની તિવારીએ કહ્યુ કે જોખમ હજુ પણ છે તેથી રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ વ્યાજદરમાં વધારો કરવાનો યોગ્ય નિર્ણય લીધો છે. અત્યાર સુધી જેટલા વ્યાજદર વધ્યા છે તેની અસર લોન રિકવરી પર જોવા મળી નથી.

English summary
RBI increase interest rate by 50 basis point
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X