આરબીઆઇ : રેપોરેટ યથાવત, સીઆરઆર 0.25 ટકા ઘટ્યો

આરબીઆઇએ અર્થતંત્રમાં ઉત્પાદન ક્ષેત્રમાં પૂરતો મૂડી પ્રવાહ જાળવી રાખવાના હેતુથી આ નિર્ણય લીધો હતો. બેંકે કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. જેના કારણે સીઆરઆર 4.50 ટકા થયો છે. આ કારણે બેંક સિસ્ટમમાં અંદાજે રૂપિયા 17,000 કરોડની મૂડી ઠલવાશે.
રિઝર્બ બેંકે વ્યાજ દર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આ માટે તેણે જણાવ્યું કે નાણાકીય નીતિની સમીક્ષાનો મૂળ હેતુ બજારમાં ફૂગાવાના દરને નિયંત્રણમાં રાખવાનો છે. રેપો રેટ 8 ટકાના દરે યથાવત રહ્યો હતો.
ભારતીય અર્થતંત્રને ફરી વેગવંતુ બનાવવા કેન્દ્ર સરકારે શ્રેણીબધ્ધ પગલાં જાહેર કર્યાના એક દિવસ બાદ ભારતીય રિઝર્વ બેન્કે પણ બેન્કિંગ સિસ્ટમમાં નાણાનો પ્રવાહ વધાર્યો છે.












Click it and Unblock the Notifications
