બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો ચોખ્ખો નફો 15 ટકા ઘટ્યો
બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો ચોખ્ખો નફો 15 ટકા ઘટ્યો
નવી દિલ્હીઃ ચાલુ નાણઆકીય વર્ષ 2020-21ના બીજા ક્વાર્ટર જુલાઈ-સપ્ટેમ્બરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનો ચોખ્ખો નફો 15 ટકા ઘટીને 9567 કરોડ રૂપિયા રહી ગયો છે. ઈન્ડસ્ટ્રીએ શુક્રવારે સેબીને આપેલી સૂચનામાં કહ્યું કે અગાઉ 2019-20ના આ ક્વાર્ટરમાં કંપનીનો 11262 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો.

નાણાકીય વર્ષ 2020-21ના બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક ઘટીને 1.2 લાખ કરોડ રૂપિયા રહી છે એક વર્ષ પહેલાં 2019-20ના આ ક્વાર્ટરમાં જ 1.56 લાખ કરોડ રૂપિયા હતી.
એક નિયામક ફાઈલિંગ મુજબ ઓઈલ-થી-ટેલીકૉમ સમૂહના એક વર્ષ પહેલાં અવધિમાં 11262 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો હતો. પરિચાલનથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીનું રાજસ્વ 24 ટકા એટલે કે 1,16,195 કરોડ સુધી ગગડી ગયું. જે એક વર્ષ હપેલાં 1,53,384 કરોડ રૂપિયા હતું.
કંપનીએ જણઆવ્યું કે, આ ક્વાર્ટરમાં કન્સૉલિડેટ સેગમેન્ટ EBITDAની 49.6% ભાગીદારી કન્ઝ્યૂમર વેપારથી વી. રિલાયન્સની ડિજિટલ સર્વિસિઝના EBITDA 8345 રૂપિયા રહ્યો. આ ઉપરાંત જિયો પ્લેટફોર્મ માટે 1,52,056 કરોડ રૂપિયા અને રિલાયન્સ રિટેલ વેંચર્સ માટે 37,710 કરોડ રૂપિયાની પૂંજી એકઠી કરવામાં આવી. નાણાકીય વર્ષ 2020-21ના પહેલા બે ક્વાર્ટરમાં રિલાયન્સે 30 હજાર રોજગાર પેદા કર્યાં. રિલાયન્સ રિટેલે આ ક્વાર્ટરમાં 125 નવા સ્ટોર ખોલ્યા છે.












Click it and Unblock the Notifications
