Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

79 ટકા ટેક્સી એપ યુઝર્સની રાઇડ્સ ડ્રાઇવર્સ દ્વારા કેન્સલ થાય છે : સર્વે

એપ-આધારિત કેબ સેવાઓના યુઝર્સમાં ડ્રાઇવર્સ દ્વારા રાઇડ્સ રદ્દ કરવી એ સૌથી મોટી ફરિયાદ છે, જે કોમ્યુનિટી પ્લેટફોર્મ લોકલસર્કલ દ્વારા હાથ ધરાયેલા એક વર્ષ લાંબા રાષ્ટ્રીય સર્વેમાં જાણવા મળ્યું છે.

નવી દિલ્હી : એપ-આધારિત કેબ સેવાઓના યુઝર્સમાં ડ્રાઇવર્સ દ્વારા રાઇડ્સ રદ્દ કરવી એ સૌથી મોટી ફરિયાદ છે, જે કોમ્યુનિટી પ્લેટફોર્મ લોકલસર્કલ દ્વારા હાથ ધરાયેલા એક વર્ષ લાંબા રાષ્ટ્રીય સર્વેમાં જાણવા મળ્યું છે. રાઈડ કેન્સલેશન અંગેના પ્રશ્નના જવાબમાં સર્વેમાં ભાગ લેનારા 79 ટકા લોકોએ જણાવ્યું હતું કે, પ્રતિકૂળ ગંતવ્ય સ્થાન અથવા બિન-રોકડ ચૂકવણી પદ્ધતિને કારણે રાઈડ કેન્સલ કરનારા ડ્રાઈવર્સ તેમની સૌથી મોટી સમસ્યા છે.

ola

લોકલ સર્કલે બુધવારના રોજ તેના સર્વેના તારણો બહાર પાડ્યા હતા. એક નિવેદનમાં પ્લેટફોર્મે જણાવ્યું હતું કે, તેને ભારતના 324 જિલ્લામાં રહેતા એપ કેબ યુઝર્સ તરફથી 65,000 પ્રતિસાદ મળ્યા છે. ઉત્તરદાતાઓમાં 66 ટકા પુરુષો અને 34 ટકા સ્ત્રીઓ હતી. જ્યારે 48 ટકા ઉત્તરદાતાઓ ટાયર 1 જિલ્લાના હતા, 31 ટકા ટાયર 2 જિલ્લાના હતા અને 21 ટકા ટાયર 3, 4 અને ગ્રામીણ જિલ્લાઓમાંથી હતા.

58 ટકા યુઝર્સે જણાવ્યું હતું કે, તેઓએ છેલ્લા 12 મહિનામાં એપ કેબમાં મુસાફરી કરી છે. આમાંથી ચાલીસ ટકા યુઝર્સે જણાવ્યું હતું કે, તેઓને સૌથી વધુ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો તે ડ્રાઇવર કેન્સલેશનનો હતો, ત્યારબાદ વધારાની કિંમતો (32 ટકા), લાંબી રાહ જોવાનો સમય (9 ટકા), સલામતી સમસ્યાઓ (5 ટકા), પ્રોટોકોલ (3 ટકા) અને કોવિડનું પાલન ન કરવું હતું.

આ સર્વે Ola, Uber અને Rapido જેવી અન્ય કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓની વર્તમાન સમસ્યાઓને સમજવા માટે કરવામાં આવ્યો હતો. તેણે એ પણ સમજવાની કોશિશ કરી કે, શું 2020 માં સરકાર દ્વારા રજૂ કરાયેલા મોટર વ્હીકલ એગ્રીગેટર માર્ગદર્શિકા એપ કેબ યુઝર્સ દ્વારા સામનો કરવામાં આવતી ડ્રાઈવર રાઈડ કેન્સલેશન અને વધારાની કિંમતના મુદ્દાઓને ઉકેલવામાં અસરકારક છે.

71 ટકા લોકોનું કહેવું છે કે, સરકારની માર્ગદર્શિકા છતાં કોઈ સુધારો થયો નથી. સર્વેક્ષણના તારણો અનુસાર, 71 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી રાઈડ કેન્સલેશનનો સંબંધ છે ત્યાં સુધી કોઈ સુધારો થયો નથી. ઉલ્લેખનીય છે કે, સરકારે નવેમ્બર 2020 માં મોટર વ્હીકલ એગ્રીગેટર માર્ગદર્શિકા બહાર પાડી હતી.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દ્વારા મૂકવામાં આવેલી માર્ગદર્શિકા, આદેશ આપે છે કે, એગ્રીગેટર્સને સંબંધિત રાજ્ય સરકારો દ્વારા નિર્ધારિત બેઝ સિટી ટેક્સી ભાડાના 1.5 ગણા મહત્તમ વધારાની કિંમત વસૂલવાની મંજૂરી આપવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ ડ્રાઈવર કોઈપણ માન્ય કારણ વગર બૂકિંગ કેન્સલ કરે છે, તો કુલ ભાડાના 10 ટકા જેટલો 100 રૂપિયાથી વધુનો દંડ વસૂલવામાં આવશે. જોકે, 45 ટકા લોકોએ જણાવ્યું હતું કે, માર્ગદર્શિકા જાહેર કરવામાં આવ્યા પછી પણ, તેમની પાસેથી વધારાની કિંમતમાં 1.5 ગણો વધુ ચાર્જ લેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રમાં એપ્લિકેશન આધારિત ટેક્સી એગ્રીગેટર્સને દિશાનિર્દેશોનું સખતપણે પાલન કરવા અને કામગીરી ચાલુ રાખવા માટે માન્ય લાઇસન્સ માટે અરજી કરવાનો નિર્દેશ આપ્યો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X