SBI ના ઝીરો બેલેન્સ એકાઉન્ટ (BSBD) પર મળતો વ્યાજ દર અને અન્ય નિયમો
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપે છે જેમાં તમને એવરેજ મંથલી બેલેન્સ જાળવવાની જરૂર નથી.
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપે છે જેમાં તમને એવરેજ મંથલી બેલેન્સ જાળવવાની જરૂર નથી. એવરેજ મંથલી બેલેન્સ (AMB) બેંકના ગ્રાહકો દ્વારા તેમના બચત ખાતામાં ઓછામાં ઓછા ડિપોઝિટની રકમ રાખવી આવશ્યક છે. SBI દ્વારા પેશ કરવામાં આવેલા ઝીરો બેલેન્સમાંથી એક મૂળ બચત બેંક જમા અથવા બેઝિક સેવિંગ બેંક ડિપોઝિટ (બીએસબીડી) ખાતું છે, જ્યાં ગ્રાહકને લઘુત્તમ માસિક બેલેન્સ રાખવાની જરૂર નથી. મૂળ બચત બેંક ડિપોઝિટ (બીએસબીડી) એકાઉન્ટ મુખ્યત્વે સમાજના ગરીબ વર્ગ માટે છે, જેથી તેઓ કોઈપણ ચાર્જ વિના બચત શરૂ કરી શકે. એસબીઆઈના બીએસબીડી ખાતાને વિવિધ સુવિધાઓ સાથે સંયુક્ત રીતે ખોલી શકાય છે.
આ પણ વાંચો: હોમ લોન પર ટેક્સ કેવી રીતે બચાવશો?
અહીં તમને એસબીઆઈના ઝીરો બેલેન્સ એકાઉન્ટ અથવા બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (બીએસબીડી) એકાઉન્ટ પરના વ્યાજ દર અને અન્ય નિયમો વિશે જણાવીશુ.

વ્યાજ દરો
આ એકાઉન્ટ બચત બેંક એકાઉન્ટ પર લાગુ વ્યાજના દર સમાન છે. એસબીઆઈ વર્તમાનમાં 1 કરોડ રૂપિયા સુધીની જમા રકમ પર 3.5 ટકા પ્રતિ વર્ષના વ્યાજદર સાથે બચત બેન્ક ખાતામાં પ્રદાન કરે છે.

ખાતામાં સંચાલન
એસબીઆઈનું મૂળ બચત બેંક ડિપોઝિટ (બીએસબીડી) નું ખાતું બેઝીક RuPay એટીએમ-કમ-ડેબિટ કાર્ડ સાથે આવે છે, જે મફતમાં જારી કરવામાં આવે છે. એકાઉન્ટ ધારક એટીએમમાં આ કાર્ડનો ઉપયોગ કરી શકે છે અથવા એસબીઆઇના પોર્ટલ પર જણાવ્યા મુજબ રોકડ ઉપાડવા માટે શાખાઓમાં ઉપાડ ફોર્મ્સનો ઉપયોગ કરી શકે છે.

નિયમો અને શરતો
ગ્રાહક પાસે કોઈ અન્ય બચત બેંક ખાતું હોતું નથી, જો તેની પાસે મૂળ બચત બેંક જમા ખાતું છે તો. જો ગ્રાહક પાસે પહેલાથી બચત બેંક ખાતું હોય, તો મૂળ બચત બેંક જમા ખાતું ખોલ્યાના 30 દિવસની અંદર બંધ કરવું પડશે.

લેણદેણના નિયમો
બીએસબીડી ખાતામાં એક મહિનામાં વધુમાં વધુ 4 ઉપાડની છૂટ છે, જેમાં એસબીઆઈ એટીએમ અને અન્ય બેંક એટીએમમાં એટીએમ ઉપાડ અને આરટીજીએસ / એનઈએફટી / ક્લિયરિંગ / શાખા રોકડ ઉપાડ / ટ્રાન્સફર / ઇન્ટરનેટ ડેબિટ / કાયમી સૂચનાઓ / ઇએમઆઈ સહિતના અન્ય મોડ્સ દ્વારા લેણદેણનો સમાવેશ થાય છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી











Click it and Unblock the Notifications
