સ્પેક્ટ્રમની હરાજી માર્ચમાં યોજવામાં આવશે

મંત્રિઓના અધિકાર પ્રાપ્ત સમૂહ(ઇજીઓએમ)ની બેઠક બાદ ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલે જણાવ્યું કે હરાજી માર્ચમાં યોજાશે. સીડીએમએની હરાજી અંગે તેમણે એમ પણ જણાવ્યું કે બધા જ સર્કલોમાં 800 મેગાહર્ટ્ઝ બેંડ માટે બોલી બોલાશે. આ દરમિયાન સૂત્રોએ એમ પણ જણાવ્યું છે કે ઇજીઓએમએ સ્પેક્ટ્રમ મૂલ્યમાં 30થી 50 ટકા કપાતની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. આ અંગેનો અંતિમ નિર્ણય મંત્રીમંડળ કરશે.
સૂત્રોનું એમ પણ કહેવું છે કે સીડીએમએ સ્પેક્ટ્રમની કિંમત અંગેનો નિર્ણય મંત્રીમંડળ જ લેશે. હરાજી 11 માર્ચના રોજ શરૂ થશે. સરકાર પાછલા વર્ષે નવેમ્બરમાં થયેલી સીડીએમએ સ્પેક્ટ્રમની હરાજી સફળતાપૂર્વક કરવામાં નિષ્ફળ રહી છે. ઊંચી બેઝ પ્રાઇસના કારણે કોઇ પણ કંપની તેના માટે બોલી લગાવવા આગળ આવી ન હતી. 1800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં જીએસએમ સ્પેક્ટ્રમ માટે બેઝ પ્રાઇઝની સરખામણીએ સીડીએમએ સ્પેક્ટ્રમનું બેઝ મૂલ્ય 1.3 ગણું વધારે છે. દેશભર માટે 1800 મેગાહર્ટ્ઝ બેન્ડમાં 5 મેગાહર્ટ્ઢ સ્પેક્ટ્રમ માટેની બેઝ પ્રાઇઝ રૂપિયા 14,000 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી.
પાછલી હરાજીમાં સરકારને સ્પેક્ટ્રમના વેચાણથી માત્ર 9,407 કરોડ રૂપિયા જ પ્રાપ્ત થયા હતા. સરકારને આશા હતી કે આ વેચાણથી તેની તિજોરીમાં અંદાજે 28,000 કરોડ રૂપિયાની આવક થશે. તેનું કારણ ઊંચી બેઝ પ્રાઇઝ હતી. સર્વોચ્ચ અદાલતે પાછલા વર્ષે ફેબ્રુઆરીમાં 2જી સ્પેક્ટ્રમ ફાળવણીના મુદ્દે 122 લાયસન્સ રદ કરવાનો આદેશ આપ્યો હતો.
122 લાયસન્સ લેનારી કંપનીઓ માટે સંબંધિત સર્કલમાં રહેવા માટે સ્પેક્ટ્રમ ખરીદવું જરૂરી છે. આ મામલે તેમનું લાયસન્સ 18 જાન્યુઆરીના રોજ સમાપ્ત થઇ જશે. પણ ઊંચી બેઝ પ્રાઇઝને પગલે કંપનીઓએ લીલામીમાં ભાગ લીધો ન હતો.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
