જેટ એરવેઝના 2,000 કર્મચારીઓને નોકરી આપશે સ્પાઇસજેટ
નાણાકીય કટોકટીનો સામનો કરવાના કારણે બંધ થઇ ચુકેલી ખાનગી જેટ એરવેઝના કર્મચારીઓ માટે મોટી ખબર સામે આવી રહી છે.
નાણાકીય કટોકટીનો સામનો કરવાના કારણે બંધ થઇ ચુકેલી ખાનગી જેટ એરવેઝના કર્મચારીઓ માટે મોટી ખબર સામે આવી રહી છે. બજેટ એરલાઇન સ્પાઇસજેટ જેટ એરવેઝના પાયલોટ અને ડ્રાઈવર સહિત કુલ 2,000 કર્મચારીઓને નોકરી આપવા જઈ રહી છે.
આ પણ વાંચો: Naresh Goyal અને તેમની પત્નીને વિદેશ જતી વખતે વિમાનમાંથી ઉતારવામાં આવ્યા

જેટ એરવેઝે એપ્રિલમાં અસ્થાયી રૂપે તેની કામગીરી બંધ કરી દીધી હતી
નોંધપાત્ર છે કે, જેટ એરવેઝનું પરિચાલન હાલમાં અસ્થાયી રૂપે બંધ છે. બીજી બાજુ, સ્પાઇસજેટ તેના પરિચાલનને વિસ્તૃત કરી રહી છે. સ્પાઇસજેટે પહેલા જ જેટ એરવેઝ દ્વારા ઉપયોગમાં લેવાતા 22 જેટલા વિમાનો તેમના કાફલામાં સામેલ કર્યા છે. જેટ એરવેઝે એપ્રિલમાં તેમનું પરિચાલન અસ્થાયી રૂપે બંધ કરી દીધું હતું.

જેટ એરવેઝના 1100 કર્મચારીઓને અત્યાર સુધીમાં નોકરી મળી ચુકી છે
સ્પાઇસજેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહના જણાવ્યા પ્રમાણે, અમે જેટ એરવેઝના લોકોને નોંધપાત્ર રીતે સાથે જોડ્યા છે. અમે આગળ પણ જેટ એરવેઝના લોકોને નોકરી આપવાનું જારી રાખીશું. તેમણે કહ્યું કે અમે જેટ એરવેઝના 1,100 કર્મચારીઓને અમારી સાથે જોડ્યા છે. આશા છે કે આ આંકડો 2,000 સુધી જશે. તેમાં પાઇલોટ્સ, ક્રૂ સભ્યો અને એરપોર્ટ સેવાઓ, સુરક્ષા સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે.

હાલમાં, સ્પાઇસજેટના કર્મચારીઓની સંખ્યા 14,000
જણાવી દઈએ કે અજય સિંહ કહે છે કે સ્પાઇસજેટમાં બોઇંગ 737, બોમ્બરર્ડિયર ક્યુ 400 અને બી 737 ફાઇટર એરક્રાફ્ટ છે. એરલાઇન 62 સ્થળો માટે 575 દૈનિક ફ્લાઇટ્સ ચલાવે છે. આમાં નવ ઇન્ટરનેશનલ ડિસ્ટિનેશનનો સમાવેશ થાય છે. હાલમાં, સ્પાઇસજેટના કર્મચારીઓની સંખ્યા 14,000 છે અને તેના કાફલામાં 100 વિમાન છે. એર ઇન્ડિયા, જેટ એરવેઝ અને ઇન્ડિગો પછી આ ચોથી એરલાઇન છે, જેમાં 100 વિમાન પરિચાલનમાં છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
