જેટ એરવેઝના 2,000 કર્મચારીઓને નોકરી આપશે સ્પાઇસજેટ
નાણાકીય કટોકટીનો સામનો કરવાના કારણે બંધ થઇ ચુકેલી ખાનગી જેટ એરવેઝના કર્મચારીઓ માટે મોટી ખબર સામે આવી રહી છે.
નાણાકીય કટોકટીનો સામનો કરવાના કારણે બંધ થઇ ચુકેલી ખાનગી જેટ એરવેઝના કર્મચારીઓ માટે મોટી ખબર સામે આવી રહી છે. બજેટ એરલાઇન સ્પાઇસજેટ જેટ એરવેઝના પાયલોટ અને ડ્રાઈવર સહિત કુલ 2,000 કર્મચારીઓને નોકરી આપવા જઈ રહી છે.
આ પણ વાંચો: Naresh Goyal અને તેમની પત્નીને વિદેશ જતી વખતે વિમાનમાંથી ઉતારવામાં આવ્યા

જેટ એરવેઝે એપ્રિલમાં અસ્થાયી રૂપે તેની કામગીરી બંધ કરી દીધી હતી
નોંધપાત્ર છે કે, જેટ એરવેઝનું પરિચાલન હાલમાં અસ્થાયી રૂપે બંધ છે. બીજી બાજુ, સ્પાઇસજેટ તેના પરિચાલનને વિસ્તૃત કરી રહી છે. સ્પાઇસજેટે પહેલા જ જેટ એરવેઝ દ્વારા ઉપયોગમાં લેવાતા 22 જેટલા વિમાનો તેમના કાફલામાં સામેલ કર્યા છે. જેટ એરવેઝે એપ્રિલમાં તેમનું પરિચાલન અસ્થાયી રૂપે બંધ કરી દીધું હતું.

જેટ એરવેઝના 1100 કર્મચારીઓને અત્યાર સુધીમાં નોકરી મળી ચુકી છે
સ્પાઇસજેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહના જણાવ્યા પ્રમાણે, અમે જેટ એરવેઝના લોકોને નોંધપાત્ર રીતે સાથે જોડ્યા છે. અમે આગળ પણ જેટ એરવેઝના લોકોને નોકરી આપવાનું જારી રાખીશું. તેમણે કહ્યું કે અમે જેટ એરવેઝના 1,100 કર્મચારીઓને અમારી સાથે જોડ્યા છે. આશા છે કે આ આંકડો 2,000 સુધી જશે. તેમાં પાઇલોટ્સ, ક્રૂ સભ્યો અને એરપોર્ટ સેવાઓ, સુરક્ષા સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે.

હાલમાં, સ્પાઇસજેટના કર્મચારીઓની સંખ્યા 14,000
જણાવી દઈએ કે અજય સિંહ કહે છે કે સ્પાઇસજેટમાં બોઇંગ 737, બોમ્બરર્ડિયર ક્યુ 400 અને બી 737 ફાઇટર એરક્રાફ્ટ છે. એરલાઇન 62 સ્થળો માટે 575 દૈનિક ફ્લાઇટ્સ ચલાવે છે. આમાં નવ ઇન્ટરનેશનલ ડિસ્ટિનેશનનો સમાવેશ થાય છે. હાલમાં, સ્પાઇસજેટના કર્મચારીઓની સંખ્યા 14,000 છે અને તેના કાફલામાં 100 વિમાન છે. એર ઇન્ડિયા, જેટ એરવેઝ અને ઇન્ડિગો પછી આ ચોથી એરલાઇન છે, જેમાં 100 વિમાન પરિચાલનમાં છે.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
