શ્રેય ઇન્ફ્રા ફાઇનાન્સ NCD સપ્ટેમ્બર - ઓક્ટોબર : સારા વળતર માટે સારો વિકલ્પ
શ્રેય ઇન્ફ્રા ફાઇનાન્સ NCD સપ્ટેમ્બર - ઓક્ટોબરના એનસીડીઓ 2થી 5 વર્ષના સમયગાળા માટે આવી રહ્યું છે. શ્રેય ઇન્ફ્રા ફાઇનાન્સ દ્વારા થોડા મહિનાઓ પહેલા જ એનસીડી જાહેર થયા બાદ ખૂબ ઓછા સમયમાં એન્ય એનસીડી સ્કીમ્સ રજૂ કરવામાં આવી રહી છે.
સમગાળો :
આ એનસીડીસનો સમયગાળો બે, ત્રણ અને પાંચ વર્ષનો છે. આ ઇશ્યુ 29 સપ્ટેમ્બર, 2014ના રોજ ખુલ્યો છે અને 31 ઓક્ટોબર, 2014 સુધી એટલે કે લગભગ એક મહિના સુધી ખુલ્લો રહેવાનો છે.
કેટલું વ્યાજ અપાશે?
શ્રેય ઇન્ફ્રા ફાઇનાન્સના એનસીડીસમાં વાર્ષિક 11.75 ટકા વ્યાજ/વળતર મળશે. આ માટેની કુપનના દર 11 ટકાથી લઇને 11.25 ટકા સુધીના છે. વ્યાજના વિકલ્પોમાં ક્યુમુલેટિવની સાથે વાર્ષિક ડિવિડન્ડનો પણ સમાવેશ થાય છે.
A) ક્યુમુલેટિવ વિકલ્પ
ક્યુમુલેટિવ વિકલ્પ અંતર્ગત આપના 1,000 રૂપિયા બે વર્ષમાં રૂપિયા 1239નું વળતર આપશે. એટલે કે કુલ 11.25 ટકા વળતર થયું. ત્રણ વર્ષની સ્કીમમાં 7387 અને પાંચ વર્ષની સ્કીમમાં 1744 રૂપિયા વળતર મળે છે.
B) નોન ક્યુમુલેટિવ વિકલ્પ
નોન ક્યુમુલેટિવ વિકલ્પમાં વ્યાજના દરો 11 ટકાથી 11.75 ટકાની વચ્ચે રહે છે. તેમાં વ્યાજદર સમયગાળા અનુસાર મળે છે.
રોકાણ કરી શકાય ખરું?
શ્રેય ઇન્ફ્રાની એનસીડી સુરક્ષિત હોવા ઉપરાંત તેને મિલકતોનું પીઠબળ પણ છે. તેનું વળતર આકર્ષક છે. બેંકોમાં ફિક્સ્ડ ડિપોઝિટ પર 9 ટકા વ્યાજ મળે છે. જો કે તેની સામે બેંક ડિપોઝિટ બિન જોખમી પણ છે.












Click it and Unblock the Notifications
